યૂપીના મહારજગંજમાં જાનૈયાઓથી ભરેલી કારની ટ્રક સાથે ટક્કરમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયા છે તો અનેક ઘાયલ થયા છે.
યૂપીના મહારજગંજમાં અકસ્માત
જાનૈયાઓથી ભરેલી કારની ટ્રક સાથે ટક્કર
5 લોકોના થયા મોત અને અનેક ઘાયલ
અકસ્માતમાં ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા છે. અહીં સારવાર દરમિયાન એક વ્યક્તિના મોત સાથે કુલ 5 લોકોના મોત થયાના સમાચાર આવ્યા છે. અન્ય 3 લોકોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
મહરાજગંજ ફરેંદાના કરહિયા પુલની પાસે મોડી રાતે ટ્રક અને એક કારની ટક્કર થઈ હતી. આ સમયે ગાડીમાં 8 લોકો સવાર હતા જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને એક વ્યક્તિનું સારવાર સમયે મોત થયું હતું. અન્ય 3 લોકોની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે.
મળતી માહિતી અનુસાર ફરેંદા પોલીસ વિસ્તારના લીલા છાપર ગામથી એક જાનૈયાની ગાડી મછલી ગામ કૈંપિયર ગંજ જઈ રહી હતી. તેમાં 8 લોકો સવાર હતા. કાર જ્યારે કરહિયા પુલ પાસે પહોંચી તો સામેની તરફથી આવી રહેલી એક ટ્રક સાથે અથડાઇ. આ ટકકરમાં કારના ખુરચા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા.