બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સ્ટે બાદ 'મહારાજ' રિલીઝ તો થઈ ગઇ, પરંતુ લોકોને પસંદ આવી કે નહીં? જાણો શું છે લોકોના રિવ્યૂ
Last Updated: 02:07 PM, 22 June 2024
આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજ' શુક્રવારે 21 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ અગાઉ 14 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટના સ્ટેના કારણે રિલીઝ થઈ શકી ન હતી. શુક્રવારે કોર્ટે લીલી ઝંડી આપી હતી અને એ પણ કહ્યું હતું કે તેમાં કશું વાંધાજનક નથી.
ADVERTISEMENT
Based on true events from the 1860s - Maharaj is now streaming, only on Netflix. pic.twitter.com/QlleHUV8dq
— Netflix India (@NetflixIndia) June 22, 2024
યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં જુનૈદ ખાન ઉપરાંત જયદીપ અહલાવત, શાલિની પાંડે અને શર્વરી વાળા પણ છે. આ ફિલ્મ ધર્મના ઠેકેદાર બનેલા અધર્મી બાબા પર આધારિત છે, જેની વાર્તા એક પત્રકાર કરસનદાસ મૂળજીએ ઉજાગર કરી હતી. જુનૈદ પત્રકાર કરસનદાસનું પાત્ર ભજવે છે અને ફિલ્મ જોયા બાદ દર્શકો સોશિયલ મીડિયા પર પોતાના રિવ્યૂ આપી રહ્યા છે.
ADVERTISEMENT
ઘણા લોકો જાણવા માગે છે કે આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ કેવી છે? એવામાં અમે તમારા માટે સીધા દર્શકો પાસેથી જ રિવ્યૂ લાવ્યા છીએ. જે લોકોએ આ ફિલ્મ જોઈ છે તે લોકો હવે ટ્વીટ પર આ ફિલ્મ વિશે તેમના મંતવ્યો કહી રહ્યા છે, એવામાં લોકોને આ ફિલ્મ કેવી લાગી ચાલો એ જાણીએ.
Was very excited about #Maharaj after all the reviews, but the movie exceeded expectations by a margin! It has an intense plot, some great performances, spectacular visuals and soulful music, it also gives you a lot to think about. A powerful debut by #JunaidKhan! pic.twitter.com/7NsSLcspB9
— Kate Wordy (@KateWordy) June 22, 2024
આ ફિલ્મ સૌરભ શાહના પુસ્તક 'મહારાજ' પર આધારિત છે અને ફિલ્મ મહારાજમાં જુનૈદ ખાને કરસનદાસ મૂળજીનું પાત્ર ભજવ્યું છે, જે એક પત્રકાર અને સમાજ સુધારક છે, એમને સ્વતંત્ર ભારતમાં મહિલાઓના અધિકારોની હિમાયત કરી હતી અને લડ્યા હતા. આ ફિલ્મ 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત છે.
#Maharaj is a classic example of a good movie with great social message made to suffer due to false narrative.
— ThakurSaab (Modi Ka Parivar) (@copyrighter19) June 21, 2024
A great debut by #JunaidKhan. Hats off @yrf and Adi Chopra for backing this movie.
Well done #Netflix.
ફિલ્મમાં જયદીપ અહલાવતે મહારાજની ભૂમિકા ભજવી છે, જેમના અનુયાયીઓ તેમને 'જેજે' તરીકે ઓળખે છે. ભક્તોની આસ્થા એટલી ઊંડી છે કે તેમાં તર્કને બિલકુલ અવકાશ નથી અને તેનો ફાયદો ઉઠાવીને 'જેજે' અનેક ખોટા કામો કરે છે, જેમાંથી એક છે મહિલાઓ સાથે અભદ્રતા. ચરણ સેવાની પરંપરાના નામે મહિલાઓનું શારીરિક શોષણ. જ્યારે કરસનદાસ મહારાજ પર સવાલ ઉઠાવે છે, ત્યારે મહારાજ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરે છે અને મામલો કોર્ટમાં જાય છે.
#Maharaj #JunaidKhan pic.twitter.com/Cue5O5XPlY
— Debi (@WhoDebi) June 22, 2024
ફિલ્મ જોયા બાદ ઘણા દર્શકો જુનૈદની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, 'જુનૈદની નેચરલ એક્ટિંગે ફિલ્મને વધુ રસપ્રદ બનાવી છે'. એક યુઝરે કહ્યું, 'જુનૈદ ખાને પત્રકારની ભૂમિકામાં કેટલું શાનદાર કામ કર્યું છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે એવું નહતું લાગતું.' એક યુઝરે લખ્યું, 'આ ફિલ્મ તમને વિચારવા મજબૂર કરે છે અને જુનૈદ વિશે શું કહેવું, આ તેનું પાવરફુલ ડેબ્યુ છે.'
#JunaidKhan acting masterclass 🙏 pic.twitter.com/JmJE3vf97F
— $@M (@SAMTHEBESTEST_) June 21, 2024
બીજી તરફ ઘણા લોકો કહી રહ્યા છે કે જુનૈદ ખાન તેની આ ડેબ્યૂ ફિલ્મમાં ઊંડી છાપ છોડી શક્યો નથી. ફિલ્મમાં તેની બોડી લેંગ્વેજ ખૂબ જ કડક છે અને દરેક સીન એવું લાગી રહ્યું છે કે એ બસ એક્ટિંગ કરે છે, તેની સામે જયદીપ અહલાવત આ ફિલ્મના મેઈન હીરો તરીકે ઊભરી આવ્યા છે. જયદીપ વિના આ ફિલ્મ જોવામાં મજા ન પડી હોત. ‘મહારાજ’ ફિલ્મ જોઈને ઘણા એમ પણ કહી રહ્યા છે કે વેબ-સિરીઝ બનાવવામાં આવી હોત તો આ વાર્તાને પૂરતું ન્યાય આપી શકાયું હોત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.