આ રાશિના જાતકો પર હોય છે શનિદેવની કૃપા, પરંતુ શનિના વક્રી થવાથી અમુક રાશિના જાતકોને મળશે વિશેષ કૃપા
શશ નામના મહાપુરુષ યોગનું નિર્માણ
23 ઓક્ટોબર સુધી રહેશે શનિદેવ મકર રાશિમાં
ત્યાં સુધી આ રાશિના જાતકોને મળશે લાભ
ન્યાયના દેવતા શનિદેવ 12 જુલાઈના રોજ મકર રાશિમાં વક્રી થયા. શનિદેવની આ સ્થિતિ 23 ઓક્ટોબર સુધી રહેશે. આ પછી તેઓ સામાન્ય સ્થિતિમાં પાછા આવશે. શનિદેવ પોતાની રાશિ મકર રાશિમાં બિરાજમાન છે. શનિ પોતાની રાશિમાં હોવાને કારણે શશ નામના મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે. ત્યારે આવો જાણીએ ઓક્ટોબર સુધી આ રાજયોગનો પ્રભાવ કઇ રાશિ પર જોવા મળશે.
મેષ
મેષ રાશિના જાતકોને શનિદેવની કૃપાથી બનેલા મહાપુરુષ રાજયોગનો ઘણો લાભ મળશે. આ સમયગાળો તમારા માટે વરદાનથી ઓછો સાબિત થશે નહીં. આ સમયગાળા દરમિયાન તમને જમીન અથવા વાહનનો આનંદ મળી શકે છે. નોકરીમાં પગાર વધારો થવાની સંભાવના છે.
મિથુન
મિથુન રાશિના લોકોને શનિની કૃપાથી બનેલા શશ નામના મહાપુરુષના રાજયોગનો લાભ મળશે. આ સમયગાળા દરમિયાન તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવી શકો છો. નોકરી શોધી રહેલા લોકોને અવસર મળશે. આ સમયગાળા દરમિયાન વેપારીઓ ઇચ્છિત નફો કરી શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકોને શનિદેવની કૃપાથી અચાનક ધન મળી શકે છે. આ દરમિયાન અધૂરા કામ પૂર્ણ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સફળતા મળશે. વેપારમાં સ્થિતિ અનુકૂળ રહેશે. આર્થિક પ્રગતિની તકો મળશે.
શનિ અને શિવપૂજાથી રાહત મળે
કુંડળીમાં શનિ દોષને ઓછો કરવા માટે શનિ પુજાનું વિશેષ મહત્વ છે. શ્રાવણનો મહિનો આવી રહયો છે. એવામાં સુર્ય શનિના અશુભ પ્રભાવથી બચવા ભગવાન શિવ અને શનિદેવની પુજા વધારે લાભદાયી સિદ્ધ થઇ શકે છે. શ્રાવણના મહિનામાં દર શનિવારે ભગવાન શિવજીને જલાભિષેક કરવાથી તથા શનિદેવની પુજા કરવાથી લાભ મળે છે. આ વખતે પ્રદોષ પુજા કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.