રાકેશ ટિકૈતે ખેડૂતોને કહ્યું કોઈ સરકારી એજન્સી ડરાવવાની કોશિશ કરે તો તેમને બંધક બનાવો, સાથે 26 માર્ચે સંપૂર્ણ ભારત બંધની જાહેરાત કરી.
રાકેશ ટિકૈતની ખેડૂતોને ખાસ સલાહ
26 માર્ચે સંપૂર્ણ ભારત બંધની જાહેરાત કરી
સરકારી એજન્સી ડરાવે તે અધિકારીને બંધક બનાવો
ખેડૂત આંદોલનની જે મુહિમ ચાલી રહી છે તેમાં મહાપંચાયતમાં ભારતીય ખેડૂત યૂનિયનના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈતે સરકાર પર પ્રહાર કર્યા છે. ટિકૈતે કહ્યું છે કે ખેડૂતોને મજૂર બનાવવાની સાજિશ ચાલી રહી છે. તેઓએ ખેડૂતોને સલાહ આપતા કહ્યું છે કે જો કોઈ સરકારી એજન્સી ખેડૂતોને ડરાવવાની કોશિશ કરે તો તેમને બંધક બનાવી લો. આ સમયે ટિકૈતે 26 જાન્યુઆરીની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. ટિકૈતે કહ્યું કે એક પાઈપ પર ધાર્મિક ઝંડો લગાવ્યો તો શું પાપ કરી લીધું. લાલ કિલ્લો તો સરકાર પહેલાં જ વેચી ચૂકી છે. તેઓએ હરિયાણાના સીએમને નિશાન બનાવ્યા અને કહ્યું કે સીએમ ખટ્ટરમાં હિંમત છે તો હેલિકોપ્ટરથી નીચે આવીને બતાવે.
जयपुर की सभा को संबोधित करते हुए किसान नेता @RakeshTikaitBKU ने कहा कि सरकार ऐसे सुन नहीं रही है, जब भी हम लोग आवाज देंगे आप सभी लोग अपने ट्रैक्टर तैयार रखना... https://t.co/KhATgbdXho
સરકાર ખેડૂત મુદ્દો ઉઠાવનારાને પરેશા કરે છેઃ ટિકૈત
ટિકૈતે કહ્યું કે સરકાર ખેડૂતોના અવાજ ઉઠાવનારાને પરેશાન કરી રહી છે. નિર્દલીય વિધાયક બલરાજ કુંડૂએ જ્યારે ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું અને વિધાનસભામાં કૃષિ કાયદાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો તો સરકારે આયકર વિભાગની છાપામારી કરાવી. પણ હવે બલરાજ કુંડૂ કે અન્ય કોઈ નેતાના ઘરે કોઈ વિભાગની રેડ થશે તો તેમના અધિકારીઓને બંધક બનાવી લેજો.
26 માર્ચે પૂર્ણ રીતે ભારત રહેશે બંધ
રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતના હિતૈષી નેતાઓને એકલા સમજવાની કોશિશમાં સરકાર ન રહે. તેમની સાથે ખેડૂત અને સામાન્ય માણસ છે. તેઓએ કહ્યું કે 26 માર્ચે પૂર્ણ રીતે ભારત બંધ રહેશે. તેમાં રેલ અને સડક માર્ગ પર પણ ચક્કાજામ કરાશે. ટિકૈત બુધવારે મહમના 24 ચબૂતરા પર આયોજિત કિસાન- મજદૂર એકતા મહાપંચાયતમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા.