અખિલ ભારતીય અખાડા પરિષદની સોમવારે મળેલી બેઠકમાં મહંત નરેન્દ્ર ગિરિ બાદ અખાડા પરિષદનાં નવા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે.
અખિલ ભારતીય અખાડા પરિષદની સોમવારે મળેલી બેઠકમાં મહંત રવીન્દ્ર પૂરીને અખાડા પરિષદનાં નવા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. સાત અખાડા દ્વારા મળીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠક નિરંજની અખાડામાં લેવામાં આવ્યો હતો.
મહંત નરેન્દ્ર ગિરિનું સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ
અખાડા પરિષદના અધ્યક્ષ રહેલા મહંત નરેન્દ્ર ગિરિનું સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ બાદ સાધુ સંતોની સૌથિ મોટી સંસ્થા અખાડા પરિષદનું અધ્યક્ષ પદ ખાલી હતું માટે હવે તેને પૂરું કરવા માટે જ કેટલાક દીવસથી તડજોડ ચાલી રહી હતી. અને અખાડાને પોતાના પક્ષમાં લેવાની તજવીજ ચાલી રહી હતી અને હવે અખાડા પરિષદનાં સંરક્ષક મહંત હરિ ગિરિ તરફથી 25 સપ્ટેમ્બરે નિર્મળ અખાડા પ્રયાગરાજમાં પરિષદની બેઠક બોલાવવામાં આવી હતી.
રવીન્દ્ર પૂરી નવા અધ્યક્ષ
આ બેઠકમાં ઘણી ગરમ ગરમી થઈ હોવાના અહેવાલ છે. કોઈ એક મત ન થવાનાં કારણે નિર્મલ અખાડાને તોડી નાખવામાં આવ્યો હતો. 13 અખાડામાંથી સાતે રવીન્દ્ર પૂરીનાં નામ પર સહમતી દર્શાવી હતી.
આખરે રવીન્દ્ર પુરીને બહુમતનાં આધારે વિધિવત અખાડા પરિષદનાં નવા અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહંત નરેન્દ્ર ગિરિનાં મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ છે અને તપાસ ચાલી જ રહી છે.