મહેસાણાના મહંત જીવતા સમાધી લેવાની વાતે લોકોમાં ઉત્સુકતા જાગી છે ત્યારે આ અંગેની પત્રિકાઓ પણ છપાઈ ગઈ છે અને સમાધી પૂર્વેના ઉત્સવની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મહંત શપ્ત સુલે 4 એપ્રીલે સમાધી લેવાની કરી હતી જાહેરાત
મહેસાણાથી એક અજબ ગજબ સમાચાર આવી રહ્યા છે. એક મહંત જીવતા સમાધી લેવાના છે અને એ અંગે ઉત્સવ પણ થવાનો છે આવો જાણીએ શું છે હકીકl?
મહેસાણાના છઠીયારડા ગામે મહંત જીવંત સમાધી લેશે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ એલાન કર્યુ હતું. મહંત શપ્ત સુલે 4 એપ્રીલે સમાધી લેવાની જાહેરાત કરી હતી.
અગાઉ કરી હતી જાહેરાત
વાડજ ખાતે વર્ષ 2016માં કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી હતી. કબીર ધામના અનુયાયીઓએ મહંતની સમાધીનો દાવો કર્યો હતો. 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્ત સુલે દેહ છોડી દેશે.
આ અંગે પત્રિકાઓ પણ છપાઈ ગઈ
4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છપાવાઈ હતી. આ પત્રિકામાં 3, 4 એપ્રિલના અલગ અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.