અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના સંદિગ્ધ મોત કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
મહંત નરેન્દ્ર ગિરીના સંદિગ્ધ મોત કેસમાં એક ચોંકાવનારો ખુલાસો
રુમમાંથી મળી સુસાઈડ નોટ
સુસાઈડ નોટમાં શિષ્ય આનંદગિરી પર હેરાન કરવાનો આરોપ
પ્રયાગરાજના અલ્લાપુર બાઘંબરી મઠની જે રુમમાંથી નરેન્દ્ર ગિરીની લાશ ફાંસી દીધેલી હાલતમાં મળી છે ત્યાંથી પોલીસને 8 પાનાની એક સુસાઈડ નોટ મળી આવતા રહસ્ય વધારે ઘુંટાયું છે. પોલીસના જણાવ્યાનુસાર સુસાઈડ નોટમાં 2-3 નામોનો ઉલ્લેખ છે. નરેન્દ્ર ગિરીએ શિષ્ય આનંદગિરી પર હેરાન પરેશાન કરવાનો આરોપ મૂ્ક્યો છે.
ફાંસી પર લટકતી હાલતમાં મળી આવ્યો મૃતદેહ
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિનું સોમવારે નિધન થયું હતું. નરેન્દ્ર ગિરિનો મૃતદેહ પ્રયાગરાજમાં તેમના બાઘંબરી મઠમાં ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. તેમના ઓરડાનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડી ને પ્રવેશ કર્યો ત્યારે તેનો મૃતદેહ ફાંદથી લટકી રહ્યો હતો.
હાલમાં ફોરેન્સિક ટીમ અને ભારે પોલીસ દળ હાજર અખાડામાં હાજર છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મહંત નરેન્દ્ર ગિરિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રપતિ નરેન્દ્ર ગિરિજીનું નિધન એક અપૂરતી ખોટ છે. ભગવાન સદ્ગુણી આત્માને તેમના શ્રી તબક્કામાં અને તેમના અનુયાયીઓને આ પીડા સહન કરવાની શક્તિ આપે.
अखाड़ा परिषद के अध्यक्ष श्री नरेंद्र गिरि जी का देहावसान अत्यंत दुखद है। आध्यात्मिक परंपराओं के प्रति समर्पित रहते हुए उन्होंने संत समाज की अनेक धाराओं को एक साथ जोड़ने में बड़ी भूमिका निभाई। प्रभु उन्हें अपने श्री चरणों में स्थान दें। ॐ शांति!!
પ્રધાનમંત્રી મોદીએ દુખની લાગણી વ્યક્ત કરી
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે અખાડા પરિષદના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગિરીજીનું નિધન અત્યંત દુખદ છે. આધ્યાત્મિક પરંપરાઓ માટે સમર્પિત હોવા છતાં, તેમણે સંત સમાજની ઘણી ધારાઓને એકસાથે જોડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પ્રભુ તેમને તમારા ચરણોમાં સ્થાન આપે. યુપી સીએમ યોગી આદિત્યનાથ, પૂર્વ સીએમ અખિલેશ સહિતના દિગ્ગજોએ તેમના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.