જાણીતા ધાર્મિક સ્થળ તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ 101 વર્ષની ઉંમરે થયા બ્રહ્મલીન, સોમનાથ કથા દરમિયાન મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો
ગીર સોમનાથના તુલસીશ્યામના મહંત થયા બ્રહ્મલીન
મહંત બાલકૃષ્ણદાસબાપુ થયા બ્રહ્મલીન
કાટકડા સંજીવની આશ્રમ ખાતે નિધન
ગીર સોમનાથ જિલ્લામાં જાણીતા ધાર્મિક સ્થળ તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ થયા બ્રહ્મલીન થયા છે. 101 વર્ષની ઉંમરે બાલકૃષ્ણદાસબાપુ બ્રહ્મલીન થયા છે. મહુવાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે તેમનું નિધન થયું હતું. મહંત બાલકૃષ્ણદાસ બાપુના નિધનથી સેવકોમાં શોકની લાગણી વ્યાપી છે. સોમનાથ કથા દરમિયાન મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો.
તો ગઈકાલે અમદાવાદનાં શિવાનંદ આશ્રમનાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું 76 વર્ષની ઉમરે નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસથી તેઓ શહેરની એસ.વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે 12 કલાકે તેમનું નિધન થયું છે.