દેશભરમાં આજે વસતી વધારો એ ચિંતાનો વિષય બનતો જાય છે તો બીજી તરફ વિકાસની ગતિ સામે વસતી વધારો બ્રેક સમાન પણ લાગી રહ્યો છે. વસતી વધારાને કારણે લોકોને રોજગારીથી લઈને આર્થિક સંકડામણ સુધીની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એક તરફ સરકાર પણ વસતી વધારાને લઈને ચિંતિત છે તો બીજી તરફ લોકોની ગેરસમજ સામે પણ સૌથી મોટો સવાલ છે. RSSએ વસતી નિયંત્રણને લઈને કેટલીક માગ કરી છે. જેમાં 2થી વધુ બાળક હોય તો લોન પર વધુ વ્યાજ લેવામાં આવે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનમાંથી જે તે પરિવારને બહાર કરવામાં આવે અને કોઈપણ ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરી નાંખી છે. ત્યારે અહી સવાલ એ થાય કે વસતી નિયંત્રણનો કાયદો ક્યારે આવશે?, વસતી નિયંત્રણ કેવી રીતે કરી શકાય. જનસંખ્યા પર જન કંટ્રોલ ક્યારે આવશે. આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન