મહામંથન / રાજ્યસભાનો રાજયોગ પણ ભાજપના ફાળે, કોંગ્રેસના નસીબમાં વિયોગ કેમ?

આપણે એવુ ઘણીવાર કોઈના માટે કહેતા હોઈએ છીએ કે આ વ્યકિત રાજયોગ લઈને આવ્યો છે. અત્યારે તો ભાજપ માટે એવુ કહી શકાય. હવે રાજ્યસભાનો રાજયોગ પણ ભાજપના ફાળે ગયો. ગુજરાતમાં સીધી લીટીમાં જોઈએ તો 4 બેઠકો રાજ્યસભાની ખાલી હતી અને બંને પક્ષને 2-2 બેઠક મળે એ સીધું ગણિત હતુ. પરંતુ ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો રાખ્યો અને પછી જે ઘટનાક્રમ સર્જાયો તે સૌ કોઈ જાણે છે.. ત્યારે સવાલ એ છે કે વારંવાર ભાજપને રાજયોગ અને કોંગ્રેસના નસીબમાં વિયોગ કેમ આવે છે આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ