મહામંથન / મગફળીકાંડની વણઝાર કયાં સુધી ફેલાયેલા છે તાર ?

જૂનાગઢમાં મગફળીકાંડના પડઘા હજુ શમ્યા નહતા ત્યાં તો ભેસાણમાં મગફળીકાંડના પડઘા પડવા લાગ્યા. જો કે રહી રહીને ટેમ્પો મૂકી જનાર ટ્રક ડ્રાઈવરે એવો ખુલાસો કર્યો કે કોઈ કૌભાંડ થયું નથી અને મને મેસેજ આવ્યો હતો એટલે હું યાર્ડ પર આવ્યો હતો. પરંતુ હજુ પણ એવુ કહી શકાય કે આ ઘટનાના મૂળ સુધી જવુ જરૂરી છે. પુરવઠા વિભાગના અધિક કલેકટર પણ એવુ કહી રહ્યા છે કે કોઈ કૌભાંડ થયું નથી. સવાલ એ છે કે મગફળીકાંડની વણઝાર છે અને તેના તાર કયાં સુધી ફેલાયેલા છે. આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ