જળ એ જ જીવન,જળ વિના જીવન શૂન્ય છે..આવા અનેક વાક્યોથી તમે વાકેફ જ હશો...પરંતુ જેટલા આ વાક્યોનું પ્રચલિત થયા છે એટલો તેનો અમલ નથી શક્યો...પાણીનો બગાડ કરવો તેનો દુરપયોગ કરવો તે તો ખોટી જ બાબત છે..પરંતુ માત્ર પાણીના બગાડ ન કરવાથી આપણી ફરજ પૂર્ણ નથી થઈ જતી..પણ આપણી મુખ્ય ફરજ એ પણ છે કે બને એટલું વરસાદી પાણી આપણે સંગ્રહ કરીએ..જો જળસંગ્રહ વાત કરીએ તો ખરેખર અહીં આપણે તમિલનાડુની પહેલને બિરદાવી પડે..એટલા માટે કેમ કે તમિલનાડુમાં અધિકારીઓ,કોન્ટ્રાક્ટરોથી લઈને સામાન્ય જનતા માટે પોતાના નિવાસસ્થાને વર્ષા જળસંગ્રહ ફરજિયાત છે...જો અધિકારી તેમ ન કરે તો તેમને મળતી સુવિધાઓ બંધ થઈ જાય છે..અને આ પહેલને કારણે જ તમિલનાડુમાં જળસંકટને ઘણા ખરા અર્થમાં નિવારી શકાયું છે.. અહીં સવાલ એ છે કે શું આવો જળસંગ્રહ આપણે પણ ન કરવો જોઈએ? વરસાદી પાણીને આપણે અંગત રીતે સંગ્રહ ન કરવું જોઈએ? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન