મિશન મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં સત્તાનું રણસંગ્રામ તેજ બન્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાનની ગેહલોત સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. અને આ ધ્રુજારી ઉત્પન્ન કરનાર બીજું કોઈ નહીં પરંતુ સરકારમાંજ નાયબ મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન એવા સચિન પાયલટ છે. સચિન પાયલટે પોતાની સાથે 25થી વધુ MLAનું સમર્થન હોવાનો દાવો કરતાજ અનેક અટકળો તેજ થઈ અને ભાજપ સાથે હાથ મિલાવીને તેઓ નવી સરકાર બનાવશે તેવા દાવા પણ થયા. પાયલોટની એક પોકારથી ગેહલોત સરકારના સત્તાના ઓડકાર જાણે પૂર્ણતાના આરે આવી.
જોકે દિવસભરના ઘટનાક્રમ દરમિયાન કોંગ્રેસની આખેઆખી ફોજ પાયલટને મનાવવામાં લાગી ગઈ અને પાયલટે ગૃહમંત્રાલય, નાણા મંત્રાલય અને અન્ય કેટલાક મંત્રાલય પોતાને સોંપવાની માગ કરી. બીજી બાજુ ગેહલોત પોતાની સાથે 84 જેટલા MLA લઈને રિસોર્ટમાં રોકાયા અને સરકાર બચાવવા પ્રયાસ કર્યા. જોકે અહીં સવાલ એ થાય છે કે કોંગ્રેસ સરકાર કેવી રીતે પોતાના MLA સાચવી નથી શકતી. કેવી રીતે મંત્રીઓ પદ અને હોદ્દા માટે મજબૂર કરે છે . કેમ કોંગ્રેસ પાર્ટી પોતાના MLAને સાચવવામાં કાચી પડે છે...કેવી રીતે ભાજપ સત્તાનો ખેલ પાડી દે છે. પોલિટિક્સના પાયલોટ કેવી રીતે ટેકઓફ કરી લે છે. સહિતના સવાલ પર છે આજનું મહામંથન