વિશ્વભરમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. ઈટલી,સ્પેન, ઈરાન, ઈરાક, યુરોપ, અમેરિકા સહિત મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના દર્દીઓનો ધરખમ વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરી દેવાઈ છે. તો ભારત અને તેમા પણ ગુજરાતની અંદર હવે કોરોનાના કેટલાક શંકાસ્પદ દર્દીઓ હોવાની વાતો સામે આવી રહી છે. પરંતું તંત્રએ ગુજરાતમાં કોરોનાનો એકપણ કેસ પોઝિટીવ ના હોવાનો દાવો કર્યો છે અને ગુજરાત કોરોનામુક્ત હોવાની સ્પષ્ટ વાત કરી છે. પરંતુ આ કોરોના વાયરસ જેવી મહા બિમારીઓ સામે શું આપણું તંત્ર બિમાર છે?....
શું કોરોના વાયરસના સંક્રમણને માત્ર તંત્ર જ નહીં આપણે પણ ના અટકાવી શકીએ?. કેમ માત્ર તંત્ર ઉપર દોષના ટોપલા ઢોળાય છે.?. કોરોનાથી ડરવાને બદલે આપણે સચેત રહીએ તો મહામારી અને મહાબિમારીઓને ના અટકાવી શકાય. થોડી સાવધાની રાખીને આપણે સ્વાસ્થ્ય ના જાળવી શકીએ. આ સહિતના પ્રશ્નો પર છે આજે પ્રજાહિત માટેનું મહામંથન