રાજ્ય સરકાર દ્વારા આજે વર્ષ 2019-20નું બજેટ રજૂ કરાયું...જેમાં ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે,રોજગાર મુદ્દે,પાણી મુદ્દેની જાહેરાતો મહત્વપૂર્ણ રહીં...ખેડૂતોને સીધી રીતે સ્પર્શે તેવી કોઈ યોજનાની જાહેરાત ન થઈ,.પરંતુ જે યોજનાઓ ચાલી રહી છે તેમાં જ ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઇ કરાઈ છે. તે ઉપરાંત વાત જો રોજગારની કરીએ તો નવા નાણાંકીય વર્ષમાં સરકારે 3 વર્ષમાં 60 હજાર જગ્યાઓ ભરવાનો અને રોજગારી ઉભી કરવાનો નિર્ધાર કર્યો છે..એટલે કે વર્ષમાં 20 હજાર જગ્યા સરકાર ભરશે.જો કે અહીં આટલી ભરતીઓથી બેરોજગારી દુર નહીં થઈ શકે..કેમ કે દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમેદવારો નોકરીની શોધમાં બહાર નીકળે છે..ત્યારે માત્ર વર્ષે માત્ર 20 હજાર જગ્યાઓથી બેરોજગારી દુર થશે કે કેમ તે એક સવાલ બની રહેશે..તે ઉપરાંત દીકરીઓ માટે સરકારે વ્હાલી દીકરી યોજનાની શરૂઆત કરી છે..જે અંતર્ગત 2 લાખથી ઓછી આવક ધરાવનારાઓને દીકરી પહેલામાં આવે ત્યારે સરકાર તરફથી 4 હજારની સહાય કરાશે..આ ઉપરાંત પણ બજેટમાં અનેક જાહેરાત કરાઈ છે..ત્યારે આ તમામ જાહેરાત કેટલી અસરદાર છે..તે અંગે જ છે આજનું મહામંથન