મહામંથન / શરણાર્થીને આવકારો, ધૂસણખોરને જાકારો

છેલ્લા થોડા સમયથી રાજકીય પક્ષો વચ્ચે નાગરિકતા સંશોધન બીલને લઈને વાદ-વિવાદ ચાલી રહ્યા છે. વિપક્ષ ધારદાર આરોપ લગાવી રહ્યો છે તો સામે ગૃહમંત્રી અમિત શાહ પણ સટીક જવાબ આપી રહ્યા છે. સવાલ એ છે કે આ બીલને ધર્મ આધારીત વિભાજન તરીકે જોવુ જોઈએ કે પછી શરણાર્થીઓને સાચા અર્થમાં મદદ કરતા બીલ તરીકે. આ બીલને લઈને વિપક્ષ આરોપ લગાવે છે કે ભારતની ધર્મનિરપેક્ષતાને અસર થશે, આવી ગંભીર વાત કેટલી સાચી. મુદ્દો જેટલો જટીલ છે એટલો તેનો ઉકેલ આસાન છે ખરો. આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ