કહેવાય કે વારંવાર થતી બેદરકારી....બેદરકારી ન કહેવાય..પરંતુ તે ક્રાઈમ કહેવાય...રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ તો અનેક વખત બની છે..પરંતુ તેમાંથી ન તો સરકાર કંઈ શીખી...ન તો ફાયરવિભાગ કંઈ શીખ્યું..કે ન તો કોર્પોરેશન કંઈ શીખ્યું...અને આવી ન શીખવાની બેદરકારીએ આપણા 22 માસૂમ બાળકોનો ભોગ લઈ લીધો..એક તો ફાયરવિભાગની ટીમ મોડી પહોંચી અને પહોંચી તો ખરી પરંતુ સાધનોના અભાવને કારણે ચોથા માળ સુધી ગઈ ન શકી..હવે આ બેદરકારી માટે કોને જવાબદાર ઠેરવવા? શું સરકાર,કોર્પોરેશન અને રાહત વિભાગની જવાબદારી નથી કે રાજ્યની જનતાની સુરક્ષા માટે પૂરતા સાધનસામગ્રીઓ વિકસાવે? શું કોર્પોરેશનની જવાબદારી નથી કે ફાયરવિભાગને નાણાકીય ફાળવણી કરે? શું સરકાર માત્ર સહાયની જાહેરાત કરે એટલે બધુ પુરુ થઈ જશે? શું જે માસૂમો આગકાંડમાં મર્યા છે તેમની ખોટ આ 4 લાખ રૂપિયા પૂર્ણ કરી શકશે? આટલી મોટી બેદરકારીમાંથી હવે કંઈ બોધપાઠ લેશો કે પછી આ જ રીતે આગળ ચાલ્યા કરશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન