પ્રજાલક્ષી પ્રશ્ન હોય તેને હંમેશા VTV ઉઠાવતુ રહ્યું છે. આજે ફરી મુદ્દો છે દર્દીઓના આરોગ્યનો. પહેલા વડોદરાનું પાદરા પછી મોડાસા અને હવે બનાસકાંઠાનું લાખણી. બનાસકાંઠાના લાખણીમાં લેબ સંચાલકની બેદરકારી કહો કે મિલીભગત પરંતુ એક જ દર્દીના ત્રણ અલગ અલગ રિપોર્ટ આવ્યા છે.. એક લેબ ટાઈફોઈડનો રિપોર્ટ પોઝિટીવ આપે છે તો બીજી બે લેબ રિપોર્ટ નેગેટીવ આપે છે. આ એવો ઘાટ થયો કે તમને લૂંટનારા લૂંટવા માટે તૈયાર બેઠા છે સતર્ક તમારે રહેવાનુ છે.
પરંતુ મુશ્કેલી એ છે કે દર્દીઓ તબીબોને ભગવાન માને છે, દર્દીઓ તબીબો પર આંધળો વિશ્વાસ મૂકે છે. હવે આ વિશ્વાસ જયારે તૂટે ત્યારે એક બીમાર વ્યકિતની હાલત શું થાય. દર્દીઓને આવી ઘટનાઓ પરથી એટલુ જ કહેવાનું કે તમે લૂટાતા નહીં, લૂંટવાવાળા તૈયાર બેઠા છે.. આ જ વિષય પર છે આજનું મહામંથન