જમ્મૂ કશ્મીરમાં કલમ 370 લગાવતા પહેલા જે સ્થાનિક નેતાઓને નજર કેદ કરાયા હતા..હવે તે જ સ્થાનિક નેતાઓ સાથે સરકારે વાતચીત કરવા કમર કસી હોય તેવા સૂત્રો પાસેથી અહેવાલ મળી રહ્યા છે. કેમ કે સ્થાનિક નેતાઓ અને વિપક્ષી દળો જમ્મૂ કશ્મીરની સ્થિતિને લઈને જે પ્રકારના વિરોધના સૂર આલાપી રહ્યા છે તેને જોતા હવે સરકાર તેમને સાથે લઈને જમ્મૂ કશ્મીરની સ્થિતિ અંગે અવગત કરવા એક સર્વદળીય બેઠક બોલાવી શકે છે..પરંતુ અહીં જોવાનું એ છે કે જે વિપક્ષ અને સ્થાનિક નેતાઓને જમ્મૂ કશ્મીરની શાંતિ પસંદ નથી તે વિપક્ષ અને સ્થાનિક નજરબંધ નેતાઓને જમ્મૂ કશ્મીરની પ્રજાનું ઉજ્વળ ભાવિ દેખાશે ખરું? અંતે જમ્મૂ કશ્મીરમાં શાંતિ થાય અને જનજીવન સામાન્ય બને તે જ ઉદ્દેશ સરકારનો છે..પરંતુ તેમાં દેશ વિરોધી સ્થાનિક નેતાઓ સહકાર આપે છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. અને આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન