2012ની વિધાનસભા ચૂંટણી પછીના ચિતાર ઉપર શાંતિથી નજર કરો તો ખ્યાલ આવશે કે ગુજરાતના રાજકારણમાં પક્ષપલટો એ કોઈ નવી વાત નથી રહી. હવે તો એવી સ્થિતિ છે કે પક્ષપલટો ન કરો તો જ નવાઈ.. કોંગ્રેસ માટે આઘાતજનક વાત એ છે કે અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા ભાજપમાંથી કોંગ્રેસમા કોઈ ગયું હોય તેવા કિસ્સા બનતા નથી પરંતુ મોટેભાગે કોંગ્રેસ છોડીને જ લોકો ભાજપમાં આવે છે. અહીં ફાયદા નુકસાનની વાત કરવા કરતા મહત્વનો પ્રશ્ન એ છે કે પક્ષપલટાને પ્રજા સ્વીકારશે ખરી. આ જ વિષય પર છે આજનું મહામંથન