રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે ક્યાંક રાહત થઈ છે તો કેટલાક જિલ્લામાં લીલો દુકાળ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં લીલા દુકાળનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ હોય કે પોરબંદર વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક પાણીમાં બેસી ગયા છે.
પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યાં ભારે વરસાદથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. એક તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં લીલા દૂકાળની સ્થિતિ છે તો બીજી બાજુ ખેડૂતોએ પાક નુકસાની સામે સહાય આપવાની માગ કરી છે. તો ખેડૂતોએ CM સુધી રજૂઆત કરી છે. સાથે જ 31 ઓગસ્ટ સુધીના પાકવીમામાં પણ રાહત આપવાની રજૂઆત કરાઈ છે. વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. આખરે વરસાદથી ખેડૂતો કેમ બેહાલ થાય છે. ગુજરાતનો ખેડૂત પાક નુકસાનીને પગલે શું ઈચ્છે છે. ખેડૂતોના મતે આ વરસાદ કેવો રહ્યો. દુકાળથી ખેડૂતો દંડાયા છે તો સહાયનો મલમ ક્યારે મળશે. આ સહિતના સવાલો પર કરીશું આજનું મહામંથન