આજે સવારે 7 વાગ્યાથી મોટાભાગની ટીવી ચેનલો કે પછી સમાચાર પત્રો જોઈને તમને એમ થયું હશે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે CM બની જશે અને શરદ પવારની ચાલ ચાલી જશે. પરંતુ તમામ ટીવી ચેનલો અને સમાચાર પત્રોની હેડલાઈન્સ જાણે કે રાજનીતિએ ખોટી પાડી. ચેનલો અને સમાચાર પત્રો સટીક પત્રકારીતા પર સાચા હતા. પરંતુ રાજકારણના રંગે તમામ અટકળોને ખોટી પાડી. વાત મહારાષ્ટ્રના મહાભારતની છે.
જ્યાં એક પાર્ટી આખીરાત CM પદના સોનેરી સપના જોઈ રહી હતી. અને નવા કપડા સિવડાવીને શપથ લેવાની તૈયારીઓ કરી રહી હતી પરંતુ રાજનીતિના ચાણક્ય અને સત્તાના સોગઠા ગોઠવનારા લોકનેતાઓની ચાલ તો કેવી રહી કે જાણે પળભરમાં શું થવાનું હતુ અને શું થઈ ગયું તેના પર આખા દેશના દર્શકોને વિચારવા મજબૂર કરી દીધા. મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટીના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસે CM પદના શપથ લઈ લીધા. તો નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવારને શપથ લેવડાવી દીધા. સત્તાના સોગઠાની આ રમતને કોઈ સમજે તે પહેલા રાજનીતિનો આવો ખેલ કદાચ કોઈએ નહીં જોયો હોય. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના બસ સત્તાના તાજની રાહ જોઈ રહ્યુ હતુ. ત્યાંજ ભાજપે એવો દાવ ખેલી દીધો કે તમામ પાર્ટીઓના સપના ચુર ચુર થઈ ગયા. પવારની પાવર પોલિટિક્સ પર ભત્રીજાની બળ બુદ્ધી કામ કરી ગયા. અને મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર રચવાનો દાવો પણ કરી દીધો. પરંતુ આખરે અહી સવાલ એ થાય છે કે શું શરદ પવાર પાવર પોલિટિક્સમાં પાસ થાય છે. શું કાકા ભત્રીજાની લડાઈમાં ભાજપને ફાયદો થશે. શું મહારાષ્ટ્રમાં સમય બદલાઈ રહ્યો છે. શું ઉદ્ધવ ઠાકરેનો ફરી ઉદય થશે કે પછી ભાજપનો જય જયકાર થશે. સવાલ એ પણ થઈ રહ્યો છે કે 41 વર્ષ પહેલા શરદ પવારે ખેલેલા ખેલનો અત્યારની રાજનીતિમાં તાલમેલ આવી રહ્યો છે. આ સહિતના મુદ્દાઓ પર કરીશું આજનું મહામંથન