દેશમાં વિવિધ વર્ગોને આપવામાં આવેલી અનામત મામલે ફરી એકવાર મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે... મોહન ભાગવત એક કાર્યક્રમમાં બોલ્યા કે અનામત મુદ્દે ફરી એકવાર વિચાર થવો જોઈએ અને તેના માટે અનામતનું સમર્થન કરનારા લોકો અને અનામતનો વિરોધ કરનારા લોકો વચ્ચે ચર્ચા થવી જોઈએ. સાથે જ ભાગવતે એ વાત પણ ઉમેરી કે અનામત મામલે જે પણ ચર્ચા થયા તે શાંતિપૂર્ણ માહોલમાં થાય. કારણકે ભૂતકાળમાં પણ જ્યારે ભાગવતે અનામત મામલે નિવેદન આપ્યું હતું ત્યારે હંગામો મચી ગયો હતો.