આજનો દિવસ આપણા માટે ગર્વનો દિવસ છે..એટલા માટે ગર્વનો દિવસ છે કેમ કે અત્યાર સુધીના ઈતિહાસમાં જેની કલ્પના પણ આપણે નથી કરી શક્યા તે આજે કરી બતાવ્યું છે આપણા પ્રધાનમંત્રી મોદીએ. અત્યાર સુધી કશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે ઉઠાવી તો ચૂક્યા છીએ પરંતુ એવુ ક્યારેય બન્યુ નથી કે જગત જમાદાર કહેવાતા અમેરિકાના પ્રમુખને સીધી જ ભાષામાં કહ્યું હોય કે જમ્મૂ કશ્મીર ભારતનું અંગ છે અને તેમાં કોઈ અન્ય દેશની મધ્યસ્થતાને સ્થાન નથી..પરંતુ હવે એવી સરકાર છે જે સ્પષ્ટપણે રાષ્ટ્રહિતમાં કામ કરે છે. જે મજબૂત છે..દેશમાં એ સરકાર છે જેનામાં નિર્ણય શક્તિ છે. પ્રધાનમંત્રી મોદીએ G7 સંમેલનમાં કરેલા આ હુંકારથી પાકિસ્તાન એવુ અકળાયું છેકે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે..એટલું જ નહીં પરંતું પાકિસ્તાનને હવે એ ડર પણ છે કે ભારતનું આગામી પ્લાન હવે POK હોઈ શકે છે. ત્યારે અહીં દુશ્મન દેશને એ જ કહેવાનું છે કે હવે દેશમાં નબળી નહીં સબળી સરકાર છે એટલે ક્યારેક આંખ ઉઠાવવાની હિંમત ન કરતા. અને આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન