મહામંથન / સત્તાની 'ફાઇલ' બંધ નહીં થાય! સમાધાન કરો એટલે પાપ ધોવાઇ ગયા?

મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે. ACBએ એવુ કહ્યું કે સિંચાઈ કૌભાંડમાં જે 9 કેસ છે તેમાં અજિત પવાર સંકળાયેલા નથી. સ્વભાવિક છે કે આ કાયદાકીય પ્રક્રિયા છે પરંતુ આ વાત જયારે જાહેર થઈ તે ટાઈમિંગ સમજવા જેવુ છે. જેવા અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા કે તરત જ આ રિપોર્ટ સામે આવ્યો. હવેના રાજકારણમાં ટ્રેન્ડ જ એવો છે કે જેવી પાટલી બદલી કે તમે પવિત્ર થઈ ગયા. તમારા વિરુદ્ધના પાપ એ ગંગામાં ધોવાઈ ગયા. સવાલ એ છે કે પક્ષ બદલવાથી કૌભાંડની ફાઈલ તો બંધ કદાચ થઈ પણ જાય પરંતુ સત્તાની ફાઈલ કયારેય બંધ નહીં થાય તેનુ શું. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ