ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મહામંથનમાં આજે આપણે ચર્ચા કરવાની છે દેશની વર્તમાન સ્થિત અને દેશના ભવિષ્યની. છેલ્લા ઘણાં સમયથી મોદી સરકારની એક પછી એક સિદ્ધીઓ સામે વિપક્ષ રોડા નાંખવાનું કામ કરી રહ્યો છે તો બીજી તરફ વિકસતા ભારતના કેટલાક મુદ્દાઓ સામે અમૂક લોકો વિલન બનીને સામે આવી રહ્યા છે. કલમ 370 હોય કે પછી NRC, CAA અને NPR. દેશમાં એક તરફ જાણે કે કોઈ ભૂકંપ આવી ગયો હોય તેવી સ્થિતિ વિપક્ષ સર્જી રહ્યુ છે. ગણતંત્રના 71 વર્ષ થવા આવ્યા છે તેમ છતા જાણે આપણે હજુ પણ 20મી સદીના વિચારોથી બહાર નથી આવી રહ્યા
વાત એટલા માટે કરવી પડે છે કે દિલ્લીના શાહીનબાગનો વિરોધ હોય કે પછી અસમ અને પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસા,. કારણ જાણ્યા વગર લોકો વિરોધ કેમ કરી રહ્યા છે તે સમજાતું નથી. ક્યાંક હિંસા ફેલાઈ રહી છે તો ક્યાંક જાણે નાગરિકતા છીનવાઈ જશે તેવા ખોટા મેસેજ વાયરલ કરીને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. શાંતિના માહોલ વચ્ચે વિરોધનો વંટોળ કેમ