જૂનાગઢના ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ગુમ થવાનો મામલે વડોદરા પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોતરાઈ ગઈ છે.
હરિહરાનંદ ગુમ થવાનો મામલો
વડોદરા પોલીસની ટીમો લાગી કામે
CCTVના આધારે પૂછપરછ શરૂ કરી
વડોદરા પોલીસની વિવિધ ટીમો તપાસ હાથ ધરી
જૂનાગઢના ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજના ગુમ થવાનો મામલે વડોદરા પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વાડી પોલીસે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વડોદરા પોલીસે ચિઠ્ઠી, વાયરલ વીડિયો મેળવી ગુમ થવાનું કારણ શોધવા તેમજ હાઈવે પરના સીસીટીવી અને મોબાઈલ લોકેશન તેમજ સેવકોની તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આશ્રમ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ બહુ મોટો ગોટાળો કર્યો છે. નાણાકીય ગરબડો ગાદીપતિ હરિહરાનંદના ધ્યાને આવી હતી. ત્યારે આ આર્થિક કૌભાંડની વાતથી ગાદીપતિ હરિહરાનંદ ખૂબ જ વ્યથિત હતાં. હરિહરાનંદજીએ ખુલાસા પૂછતા શિષ્યોએ જ દબાણ ઉભુ કર્યાની પણ ચર્ચા ઉભી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલીન ભારતીબાપુએ પોતાની વિલનો કારોભાર હરિહરાનંદને સોંપ્યો હતો. આ મામલે અન્ય કેટલાક નજીકના શિષ્યોની નારાજગી હોવાની પણ ચર્ચા
હરિહરાનંદ સ્વા
મી ગૂમ થયા બાદ ભારતી આશ્રમમાં સન્નાટો
હરિહરાનંદ સ્વામી ગૂમ થયા બાદ ભારતી આશ્રમમાં સન્નાટો છવાઈ ગયો છે. જૂનાગઢ પોલીસે પણ ભારતી આશ્રમની મુલાકાત લીધી. દરમિયાન આશ્રમના સેવકોએ સમગ્ર મામલે બોલવાનું ટાળ્યું.
શું છે સમગ્ર મામલો?
વડોદરાના ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી છેલ્લા 2-3 દિવસથી ગાયબ થતાં કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર હરિહરાનંદ વડોદરામાં રાકેશ નામના ભક્તને ત્યાં ગયા હતા. જે બાદ વડોદરા હાઇવે પર કપુરાઈ ચોકડી સુધી સ્વામી તેઓ પરત પણ મૂકી ગયો હતો. હનુમાન મંદિર નજીક રાકેશે કારથી હરિહરાનંદને છોડ્યા હતા. જે બાદ ખાસવાડી આશ્રમમાં કાળું નામના વ્યક્તિને ત્યાં જવાનું કહીને તે થયા ગુમ થયા હોવાની વાતો વહેતી થઈ હતી.જે બાદ વાડી પોલીસે હરિહરાનંદ સ્વામીની તપાસ હાથધરી હતી જેમાં તેમણે હાથે હરિહરાનંદ સ્વામીએ લખેલી ચિઠ્ઠી અને એક વીડિયો હાથ લાગ્યો હતો.
મારા પર વિવાદો કરીને દબાણ કરવાનો પ્રયાસ થયો : હરિહરાનંદ સ્વામી
હરિહરાનંદ સ્વામી એક લખાણ અને વીડિયો મુકીને ગુમ થયા છે. જેમાં તેઓ ભારતી આશ્રમ સરખેજનો ખુબ વિવાદ થયો હોવાની વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે તેમજ કહી રહ્યા છે કે ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદથી વિવાદ ચાલુ જ રહ્યો છે. વિલ મારા નામનુ હતુ છતા ફ્રોડ વિલ બનાવવામાં આવ્યા છે. મારા પર વિવાદો કરીને દબાણ કરવાનો પ્રયાસ થયો છે. હું આ બધી સ્થિતીથી કંટાળીને આ નિર્ણય કરી રહ્યો છુ. મે આશ્રમ છોડીને નિકળી જવાનો રસ્તો પકડ્યો હોવાની કબૂલાત તેઓએ વીડિયોમાં કરી છે.