જ્યોતિષોની ગણના અનુસાર, મંગળ આ સમયે કર્ક રાશિમાં છે અને આજે સવારે ચંદ્રમાના આ રાશિમાં આવવાથી મહાલક્ષ્મી રાજયોગ બન્યો છે
આજથી 3 રાશિઓમાં મહાલક્ષ્મી રાજયોગ બન્યો
આ રાશિઓને આવતા 3 દિવસ સુધી શુભ પરિણામ આપશે
મેષ, મિથુન અને તુલા રાશિને થશે લાભ
Mahalaxmi rajyog 2023: મંગળ અને ચંદ્રમાની યતિથી કર્ક રાશિમાં મહાલક્ષ્મી રાજયોગ બની ગયો છે. આ શુભ યોગ આવતા 3 દિવસ સુધી 3 રાશિઓને લાભ આપવાનો છે. જ્યોતિષોની ગણના અનુસાર, મંગળ આ સમયે કર્ક રાશિમાં છે અને આજે સવારે ચંદ્રમાના આ રાશિમાં આવવાથી મહાલક્ષ્મી રાજયોગ બન્યો છે.
હવે ચંદ્રમા અહીં 26મેં ની રાત 8.49 વાગ્યા સુધી રહેશે. એટલે કે મંગળ-ચંદ્રમાથી બનેલા મહાલક્ષ્મી રાજયોગ આવતા 3 દિવસ સુધી શુભ પરિણામ આપશે.
આ ત્રણ રાશિઓ પર થશે ધનવર્ષા
1.મેષ રાશિઃ મહાલક્ષ્મી રાજયોગ મેષ રાશિના જાતકોને આર્થિક મોર્ચા પર લાભ આપશે. લાંબા સમયથી રોકાયેલા પૈસા તમને પાછા મળી શકે છે. નોકરીની શોધ કરી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છો. આવકમાં વૃદ્ધિ થશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના અણસાર જોવા મળી રહ્યા છે.
3. તુલા રાશિઃ મહાલક્ષ્મી રાજયોગના કારણે ઘન સંચય થશે. ખર્ચા પર લગામ રાખવી પડશે. બેંક-બેલેન્સને વધારે સારી રીતે મેનેજ કરી શકશો. તમારા જીવનસાથીને સારી નોકરી મળી શકે છે. તેમની આવકમાં પણ વધારો થવાની સંભાવના બનશે. પારિવારીક જીવનમાં ખુશીઓ આવશે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.