આજ સુધી તમે એવા ઘણા મંદિરો માટે સાંભળ્યું હશે જ્યાં અલગ અલગ પ્રકારના પ્રસાદ મળે છે. પરંતુ આજે અમે તમને જે મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ જ્યાં એવો પ્રાસદ મળે છે જેના માટે સાંબળીને કદાચ તમે દંગ રહી જશો. જી હાં શું તમે એવું સપનામાં પણ વિચાર્યું છે કે કોઇ મંદિરમાં સોનાના સિક્કાનો પ્રસાદ મળી શકે છે. તમને સાંભળવામાં ખૂબ અજીબ લાગે છે કે શું સાચે આવું છે તો આજે અમે તમને જણાવીએ આજે એ મંદિર માટે.
મધ્યપ્રદેશના રતલામમાં મહાલક્ષ્મી દેવીનું મંદિર આવેલું છે જ્યાં ભક્તોને પ્રસાદમાં સોનાના ઘરેણાં મળે છે. લક્ષ્મી ધનની દેવી છે આ મંદિરમાં આવનાર દરેક ભક્તને સાક્ષાત પુરાવા જોવા મળશે. જણાવી દઇએ કે આ સમગ્ર મંદિર નોટોથી સજાયેલું છે અને અહીં આવનારા ભક્તને પ્રસાદના રૂપમાં થોડાક ઘરેણા અથવા થોડાક રૂપિયા આપવામાં આવે છે. જણાવી દઇએ કે આ પ્રસાદ માત્ર દીવાળીના દીવસોમાં મળે છે જ્યારે કુબેરનો દરબાર સજે છે. આ દિવસોમાં સમગ્ર પ્રસાદમાં ચઢેલા ઘરેણાં અને રૂપિયા ભક્તોને વહેંચી દેવામાં આવે છે.
મહાલક્ષ્મી મંદિરમાં વર્ષના કેટલાક દિવસોમાં કુબેરનો દરબાર લાગે થે અને આ કુબેરના દરબાર વાળા દિવસે અહીંયા ભક્તોને પ્રસાદના રૂપમાં સોનાના આભૂષણની સાથે રોકડ પણ આપવામાં આવે છે. આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ લાગેલી રહે છે અને અહીંયા આવીને ભક્ત પોતાની શ્રદ્ધા અનુસાર સોના ચાંદી અને રોકડ ચઢાવે છે.
ધનતેરસ અને દિવાળીને સમયે અહીંયા ભક્તો દ્વારા ખૂબ જ સોનું ચઢાવવામાં આવે છે અને મહાલક્ષ્મીનો શ્રૃંગાર કરવામાં આવે છે. મંદિરમાં એટલા પ્રમાણમાં સોનું અને પૈસા ચઢાવવામાં આવે છે કે અહીંયા સુરક્ષા માટે પોલીસ અને કેમેરા 24 કલાક તૈનાત રહે છે.
મંદિર કમિટી દ્વારા ચઢાવવામાં મળેવા ઘરેણાં અને પૈસાનો પૂરો હિસાબ રાખવામાં આવે છે. મહાલક્ષ્મીનું આ મંદિર દેશભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને એને લઇને માન્યતા પ્રચલિત છે કે અહીંયા આવાનાર કોઇ પણ ભક્ત ખાલી હાથે જતું નથી એમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.