બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મૌની અમાવસ્યાના રોજ આ તારીખે મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન, જાણો સ્નાન-દાનનું શુભ મુહૂર્ત

મહાકુંભ 2025 / મૌની અમાવસ્યાના રોજ આ તારીખે મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન, જાણો સ્નાન-દાનનું શુભ મુહૂર્ત

Last Updated: 09:13 PM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકુંભનું ત્રીજુ શાહી સ્નાન 29 જાન્યુઆરી મૌની અમવાસના દિવસે થશે. બધી જ અમાવસમાં મૌની અમાસ ખૂબ ખાસ માનવમાં આવે છે. મૌની અમાસને માઘી અને માઘ અમાસના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મૌન વ્રત પાળવામાં આવે છે.

મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરી 2025થી થઈ ગઈ છે અને દરરોજ લાખો સંખ્યામાં શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન માટે આવી રહ્યા છે. આ વખતે મહાકુંભ 144 વર્ષ બાદ થયો છે. ત્યારે કુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. આ વખતે મહાકુંભનું ત્રીજુ શાહી સ્નાન 29 જાન્યુઆરી મૌની અમાસના દિવસે થશે. બધી જ અમાસમાં મૌની અમાસ ખૂબ ખાસ માનવામાં આવે છે. મૌની અમાસને માઘી અને માઘ અમાસના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મૌન વ્રત પાળવામાં આવે છે.  

Mahakumbh004

ક્યારે છે મહાકુંભની ત્રીજુ શાહી સ્નાન?

મહાકુંભનું ત્રીજુ શાહી સ્નાન 29 જાન્યુઆરીએ છે અને આ દિવસનું શાહી સ્નાન ખૂબ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે બધા જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. હકીકતમાં, આ દિવસે ચંદ્રમા, સૂર્ય અને બુધ મકર રાશીમાં ત્રિવેણી સંયોગ બનાવશે.

શાહી સ્નાનનું મુરત

બ્રહ્મ મુરત- 29 જાન્યુઆરીએ સવારે 05 વાગીને 25 મિનિટથી લઈને સવારે 6 વાગીને 18 મિનિટ સુધી  

પ્રાત: સંધ્યા-   29 જાન્યુઆરીએ સવારે 05 વાગીને 51 મિનિટથી લઈને સવારે 07 વાગીને 11 મિનિટ સુધી  

PROMOTIONAL 12

ક્યારે છે મૌની અમાવસ?

હિન્દુ પંચાંગ અનુસાર, માઘ મહિનાની અમાવસ તિથી 28 જાન્યુઆરીએ સાંજે 7 વાગીને 32 મિનિટ પર શરૂ થશે અને તિથિનું સમાપન 29 જાન્યુઆરીએ સાંજે 6 વાગીને 5 મિનિટ પર થશે.

વધુ વાંચો: કુંભ સહિત ત્રણ રાશિના લોકો રૂપિયા ગણતા થાકશે! સૂર્ય-શનિની મહાગોચરથી લાભ જ લાભ

કેમ ખાસ હોય છે મૌની અમાવસ?

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, મૌની અમાસ પર પૂર્વજોને તર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે. આનાથી તર્પણ કરવાવાળાના પૂર્વજોના આશીર્વાદ મળે છે. આ દિવસે નદીના ઘાટ પર જઈને પૂર્વજોને તર્પણ અને દાન કરવાથી કુંડળીના દોષોથી મુક્તિ મળે છે. આ સિવાય, આ દિવસે મૌન વ્રત રાખવાથી વાક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મૌની અમાસના દિવસે વ્રતનું વિશેષ મહત્વ હોય છે.  મૌન વ્રતનો અર્થ એ છે કે પોતાની અંદર જોવું, ધ્યાન કરવું અને ભગવાનની ભક્તિમાં ખોવાઈ જવું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahakumbh 2025 mauni amavasya third shahi snan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ