દિવાળી આ વર્ષે 24 ઓક્ટોબરના રોજ છે, પરંતુ મધ્યપ્રદેશમાં દિવાળી જેવી રોનક 11 ઓક્ટોબરે પણ જોવા મળશે. લગભગ 25 હજાર મંદિરોમાં દીપ સજાવટ અને ભજન કીર્તન થશે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જૈનમા મહાકાલ લોકનું લોકાર્પણ પણ કરશે. આ ઇવેન્ટને પ્રદેશનાં ગામોના લોકો લાઇવ જોઇ શકશે. ગામોમાં પણ મોટા ટીવી સ્ક્રીન લગાવવામાં આવશે. સૌથી વધુ ફોકસ શિવમંદિરો ઉપર રહેશે. BJP આ દિવસે કાર્યક્રમ આયોજિત કરશે. ઉજ્જૈનમાં 5 દિવસો સુધી ઉત્સવ મનાવવામાં આવશે. અહીં 300 મંદિરોને રંગકામ કરવામાં આવી રહ્યું છે. 609 પંચાયતના પ્રમુખ મંદિરોને સજાવવામાં આવી રહ્યા છે.
ઉજ્જૈનમાં 'મહાકાલ લોક'ના લોકાપર્ણ ઇવેન્ટને શિવરાજ સરકાર તહેવારના રૂપે મનાવી રહી છે. પીએમ મોદી મહાકાલ કોરિડોરનું લોકાપર્ણ 'અમૃત સિદ્ધિ યોગ'માં કરશે. 856 કરોડ રૂપિયાના ખર્ચથી શ્રીમહાકાલ લોક બની રહ્યું છે.
Ujjain, MP | Work for the Mahakal Corridor completed, to be launched by PM Modi on October 11 pic.twitter.com/dASlsa0yE7
સાંજે પાંચ વાગ્યે દીપ પ્રાગટ્ય થશે
23 હજાર સરકારી અને ટ્રસ્ટનાં મંદિર છે. 2 હજારથી વધુ મંદિરોની દેખરેખ ખાનગી સ્તર પર કરવામાં આવે છે. આ મંદિરોમાં 11 ઓક્ટોબરે સાંજે 5 વાગે દીપ પ્રજ્જ્વલન કરવામાં આવશે. ત્યારે પૂજા-અર્ચના અને ભજન-કીર્તન પણ કરવામાં આવશે.
મંદિર પરિસર અને આસપાસ ટીવી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લોકો પીઓમના કાર્યક્રમનું સીધું પ્રસારણ જોઇ શકે. મંદિરની સાફ-સફાઇ મેનેજમેન્ટ સમિતિ અને પૂજારી કરશે.
5 દિવસ સુધી ઉત્સવ
'મહાકાલ લોક'ના લોકાપર્ણ સમયે ઉજ્જૈનમાં 5 દિવસ ઉત્સવ મનાવવામાં આવશે. કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું કે જિલ્લામાં 609 પંચાયતોનાં મુખ્ય મંદિરો સમેત શહેરનાં આશરે 300 મંદિરોમાં સાફ-સફાઇ, લાઇટિંગ અને વિદ્યુત સજાવટ કરવામાં આવશે.
ભોપાલનાં બધાં મંદિરોમાં લાગશે સ્ક્રીન
ભોપાલનાં બધાં મંદિરોમાં સ્ક્રીન લગાવવાનો પ્લાન છે. કલેક્ટર અવિનાશ લવાનિયાએ આ અંગે બેઠક કરીને એસડીએમ અને કલેક્ટરને આદેશ આપ્યા છે. કલેક્ટરે જણાવ્યું કે મંદિરોની સાફ-સફાઇ, રંગકામ અને રોશની પણ કરવામાં આવે. દરેક મંદિરમાં વાદ્યયંત્ર અને રંગોળી કરવામાં આવશે. બપોરના 4 વાગ્યાથી મંદિરોમાં શંખનાદ શરૂ થઇ જશે. ઝંડાઓ, બેનરોથી પ્રચાર-પ્રસાર થશે. મંદિરમાં ભજન મંડળીઓની પ્રસ્તુતિ, પ્રભાત ફેરી, હવન કરાવાશે. ઓફિસરોને તેમણે કહ્યું કે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવે, જેના દ્વારા મંદિરના વીડિયો અને ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવશે.
ઉજ્જૈનમાં ઘેર ઘેર પીળા ચોખા આપીને આમંત્રિત કરવામાં આવશે
પ્રોજેક્ટના લોકાપર્ણના અવસરે ઉજ્જૈન સમેત પ્રદેશના બધા જિલ્લાનાં મુખ્ય મંદિરોની સજાવટ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે મહાકાલ કોરિડોરનું લોકાપર્ણ શ્રદ્ધાનો વિષય છે. આમાં શહેરના પ્રત્યેક પરિવારને આમંત્રણ પત્ર આપવામાં આવશે. બધી દુકાનો અને ઘરોમાં રોશની કરવામાં આવશે. મુખ્ય ચાર રસ્તા અને સડકોને વિશેષ રૂપે શણગારવામાં આવશે. ખાસ જગાએ રંગોળી પણ કરવામાં આવશે.