મહાકાલ મંદિરના પૂજારી જણાવે છે કે ભસ્મ આરતી વખતે મહિલાઓને ઘૂંઘટ કાઢવા માટે કહેવામાં આવે છે. આ રહસ્યનુ કારણ શુ છે? આવો જાણીએ.
ભસ્મ આરતી વખતે મહિલાઓ ઘૂંઘટ કેમ કાઢે છે?
ભસ્મ આરતી સમયે નવા સ્વરૂપમાં આવે છે મહાકાલ
મહિલાઓ 10 મિનિટ માટે દર્શન કરી શકતી નથી
આરતી દરમ્યાન મહિલાઓને 10 મિનિટ દર્શન કરવાની મંજૂરી નથી
મધ્ય પ્રદેશની ધાર્મિક રાજધાની ઉજ્જૈનને માનવામાં આવે છે અને અહીં મહાકાલેશ્વર મંદિરની ઘણી રોચક કહાનીઓ છે. અહીં પૂજામાં ભાગ લેવા માટે શ્રદ્ધાળુ હંમેશા ઉત્સુક રહે છે. અહીં ભસ્મ આરતી થાય છે, જેમાં એક એવી પરંપરા નિભાવવામાં આવે છે, જે તમને ખૂબ અજીબ લાગશે. આ આરતી દરમ્યાન મહિલાઓને 10 મિનિટ માટે મહાકાલ બાબાના દર્શન કરવાની મંજૂરી હોતી નથી. આમ કરવાનુ એક મુખ્ય કારણ પણ હોય છે.
ભસ્મ આરતી સમયે નવા સ્વરૂપમાં આવે છે મહાકાલ
મહાકાલ મંદિરના પૂજારી જણાવે છે કે ભસ્મ આરતી સમયે મહાકાલ, શિવરૂપથી શંકર રૂપમાં આવી જાય છે એટલેકે તેઓ નિરાકાર રીતે સાકાર રૂપ ધારણ કરે છે. તે વખતે તેમને ભસ્મ લગાવવામાં આવે છે અને તેમના અભ્યંગ સ્નાનના દર્શન મહિલાઓને કરવા દેવામાં આવતા નથી. એવામાં મહિલાઓને ઘૂંઘટ કાઢવાનુ કહેવામાં આવે છે. મંદિરના પૂજારી જણાવે છે કે જે રીતે વસ્ત્ર બદલવામાં આવે છે, એવી જ રીતે ભગવાન મહાકાલ નિરાકાર રૂપે સાકાર રૂપ ધારણ કરે છે અને આ જ કારણ છે કે થોડા સમય માટે મહિલાઓને ઘૂંઘટ કાઢવાનુ કહેવામાં આવે છે.
ભસ્મ આરતી માટે બુકિંગ આ રીતે કરો
જો તમે ભસ્મ આરતી માટે બુકિંગ કરવા માંગો છો તો તમારે મંદિરની વેબસાઈટ www.mahakaleshwar.nic.in પર વિજિટ કરવુ પડશે. જ્યાં તમે લાઈવ દર્શનની સાથે ભસ્મ આરતી માટે બુકિંગ કરી શકો છો.
માત્ર અહીં ચઢાવવામાં આવે છે ભસ્મ
12 જ્યોતિર્લિગ છે, જેમાંથી ત્રીજા નંબરે ભગવાન મહાકાલનુ સ્થાન માનવામાં આવ્યું છે. તેમને બ્રહ્માંડના રાજા પણ કહેવામાં આવે છે. અહીં દરરોજ ભગવાન મહાકાલને ભસ્મ ચઢાવવામાં આવે છે. અહીં સૌથી પહેલા ભસ્મ આરતી થાય છે અને ત્યારબાદ સવારે આરતી અને ભોગ ધરાવવામાં આવે છે.