બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મહાગઠબંધનમાં બેઠકો વહેંચવામાં આવી હતી. તે સમયે જ્યારે પટણામાં મહાગઠબંધનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે હંગામો પણ જોવા મળ્યો.
મહાગઠબંધનનો ભાગ વિકાસ ઇન્સાન પાર્ટી (VIP) ના ચીફ મુકેશ સહનીએ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો. આ દરમિયાન તેજસ્વી યાદવ મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
હકીકતમાં, મુકેશ સહનીએ 25 બેઠકો અને ડેપ્યુટી સીએમ પદ માટે માંગ કરી હતી. પરંતુ આરજેડી તેના ક્વોટામાંથી મુકેશ સહનીની પાર્ટીને બેઠકો આપશે. આ સાથે જ મુકેશ સહનીએ મહાગઠબંધનથી છૂટા પડવાની જાહેરાત કરી છે અને તે NDAમાં જોડાઈ શકે છે. મુકેશ સહનીએ કહ્યું કે જે આપણી સાથે થઈ રહ્યું છે તે બરાબર નથી. હું આ ગઠબંધનમાંથી બહાર નીકળી રહ્યો છું અને આવતીકાલે મીડિયાને સંબોધન કરીશ.
#WATCH What is happening with us right now is somewhere backstabbing. I am going out of this alliance and will address media tomorrow: Mukesh Sahni, Vikassheel Insaan Party #BiharElectionspic.twitter.com/H3kkIVe5rU
એવું કહેવામાં આવી રહ્યું છે કે NDA રવિવારે બેઠક વહેંચણીની ઘોષણા કરી શકે છે. શક્ય છે કે બિહારની ચૂંટણીમાં એલજેપી એનડીએનો ભાગ ન હોય. તે જેડીયુ સામે પોતાના ઉમેદવારો ઉતારશે.
RJD 144 બેઠકો પર ચૂંટણી લડશે
ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી માટેના મહાગઠબંધનમાં સીટ વહેંચણી શનિવારે કરવામાં આવી છે. આરજેડી 144, કોંગ્રેસ 70 અને ડાબેરી 29 બેઠકો પર લડશે. મહાગઠબંધનના નેતાઓએ પત્રકાર પરિષદમાં પટનામાં બેઠકની વહેંચણી વિશે માહિતી આપી હતી. આમાં મહાગઠબંધનના તમામ પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આરજેડી, કોંગ્રેસ, સીપીઆઈ (માલે), સીપીઆઈ, સીપીએમ મહાગઠબંધનનો ભાગ છે. વીઆઇપી પણ તેનો એક ભાગ હતો.
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ અવિનાશ પાંડેએ કહ્યું કે કેટલાક વૈચારિક મતભેદો હોવા છતાં એક મજબૂત ગઠબંધન જેમાં આરજેડી, કોંગ્રેસ, વીઆઈપી અને ડાબેરી પક્ષો એક સાથે થયા છે. 2015 માં, મહાગઠબંધનને ભરપૂર સમર્થન મળ્યું, પરંતુ દુર્ભાગ્યવશ તે બહુમતીનું અપહરણ કરી લેવાયું. નીતીશ કુમારે છેતરપિંડી કરી અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી. જનતા તેમને માફ નહીં કરે. તેમણે કહ્યું કે મહાગઠબંધનનું નેતૃત્વ તેજસ્વી યાદવ કરશે.