આમ તો લગભગ દરેક ગામમાં ભગવાન શિવજીના મંદિર હોય છે. જ્યા ગામ લોકો રોજ ભગવાનના દર્શનનો લ્હાવો લેતા હોય છે. અમે આજે તમને ભગવાન ભોળીયાના એક એવા મંદિર વિશે જણાવશુ કે તેની વિશિષ્ઠતા કઇક અલગ જ છે.
આ મંદિક છે ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત પથરીમાં આ એતિહાસિક મંદિર જંગલમાં આવેલુ છે. જેને પ્રાચીન પથેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. આ મહાદેવના મંદિર પ્રત્યે લોકોને અતૂટ શ્રધ્ધા છે.
આ મંદિર પ્રત્યે ભક્તોની માન્યતા છે કે જો કોઈ નિ:સંતાન દંપતિ અહીં દર્શનાર્થે આવે તો તેની કુખ ભરાઇ જાય છે. ભગવાન ભોળાનાથ તેનને સંતાન આપે છે.
આ મંદિરથી અડધો કિલોમીટર દુર શિવના નામથી શિવગઢ ગામ આવેલું છે. શ્રાવણ મહિનામાં મહાદેવ મંદિરમાં ભક્તોની ભારેભીડ જામી જાય છે.
આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે અને ભગવાન શિવજીનુ આ મંદિર કેટલુ જૂનૂ છે તે પણ કોઇ જાણતુ નથી. અહીં આવનાર ભાવિ-ભક્તોની દરેક મનોકામના ભગવાન ભોળાયાનાથ પૂર્ણ કરે છે.