ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક એવુ અનોખુ શિવ મંદિર છે, જ્યાં આજે પણ મહાભારત કાળનો એક યોદ્ધા દરરોજ શિવલિંગ પર જળ ચઢાવવા આવે છે. આ યોદ્ધા ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા છે.
આ મંદિરમાં આજે પણ પૂજા કરે છે મહાભારત કાળનો આ યોદ્ધા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં આ શિવ મંદિરમાં કરે છે પૂજા
દરરોજ શિવલિંગ પર જંગલી પુષ્પ અને જળ ચડાવે છે
આ યોદ્ધા શિવલિંગની સામે પાડતો હતો બૂમો
દ્વાપર યુગના મહાભારત કાળમાં અરણ્ય વનનો ઉલ્લેખ આવે છે, જ્યાં પાંડવો અને કૌરવોના ગુરૂ દ્રોણાચાર્ય રહેતા હતા. અહીં ગુરૂ દ્રોણાચાર્યએ એેક શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં દ્રોણાચાર્ય તેના અજર અમર પુત્ર અશ્વત્થામાને ગુપ્ત શસ્ત્ર વિદ્યાઓનુ જ્ઞાન આપતા હતા. ગુરૂ દ્રોણાચાર્યએ અહીં તેના શિષ્યોને બ્રહ્માસ્ત્ર અને શબ્દભેદી બાણ જેવા અનેક દિવ્ય શસ્ત્ર પ્રદાન કર્યા હતા. આ સ્થાન ગંગા કિનારે છે. પ્રાચીન દંતકથા મુજબ અશ્વત્થામા દ્રૌપદીના પાંચ પુત્રોનો વધ કર્યા બાદ આ શિવલિંગની સામે હત્યારાની જેમ બૂમો પાડતો હતો ત્યારે ખેરેશ્વર બાબાએ તેમને સમાધિસ્થ થવાના આશીર્વાદ આપ્યાં અને સાથે કહ્યું કે તમે સપ્તઋષિ મંડળમાં પોતાનુ સ્થાન પ્રાપ્ત કરશો.
દરરોજ શિવલિંગ પર ચડાવેલા હોય છે પુષ્પ
આ પવિત્ર સ્થાન ઉત્તર પ્રદેશના કાનપુર મહાનગરના ગ્રામીણ ક્ષેત્ર બાંકા છતરપુર, શિવરાજપુરમાં બાબા ખેરેશ્વર ધામના નામથી સ્થિત છે. કહેવાય છે કે અમર અશ્વત્થામા આજે પણ અહીં દરરોજ શિવ ઉપાસના કરવા આવે છે. અહીંના પૂજારી પેઢી દર પેઢી બાબા ખેરેશ્વરની સેવા કરી રહ્યાં છે. પૂજારીઓના પૂર્વજો મુજબ આ શિવલિંગની ઉપર સવારે જંગલી પુષ્પ અને જળ ચડાવેલુ હોય છે. જ્યારે દરરોજ રાત્રે શિવલિંગને સ્નાન કરાવીને સ્વચ્છ કર્યા બાદ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, જ્યારે સવારે આ મંદિરના દરવાજા ખોલવામાં આવે છે તો પૂજા-અર્ચના થયેલી હોય છે. આ બધાનુ માનવુ છે કે અશ્વત્થામા અહીં હજી પણ દરરોજ પૂજા કરવા આવે છે.
કાળી ગાય આપતી હતી દૂધ
આજે કોઈની પાસે આટલી દિવ્ય આંખો નથી જે અશ્વત્થામાના દર્શન કરી શકે. છેલ્લી વખત અશ્વત્થામાના દર્શન કરી શકે. છેલ્લી વખત અશ્વત્થામાના દર્શન પૃથ્વીરાજ ચૌહાણે કર્યા હતા. આ શિવલિંગની જાણ અત્યારથી 500 વર્ષ પહેલા થઇ હતી. જેની પણ એક ચર્ચિત કથા છે કે એક યાદવ વંશનો ગોવાળીયો હતો. જેની પાસે કાળી ગાય હતી, આ ગાય એટલી ઉચ્ચ કોટીની હતી કે બચ્ચા વગર જ દૂધ આપતી હતી.