બીઆર ચોપડાના દ્વારા નિર્દેશિત એતિહાસિક શો મહાભારત લોકડાઉનને કારણે ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે. વર્ષો પછી પણ આ શો દર્શકોનો ફેવરિટ છે. મહાભારતમાં કામ કર્યા પછી તેના કલાકારો ઘરે ઘરે લોકપ્રિય થઈ ગયા હતા. પરંતુ શું તમે જાણો છો કે, આ એતિહાસિક શો કરવા માટે શોના સ્ટાર્સને કેટલી ફીસ મળી હતી. ચાલો જાણીએ.
મહાભારતનું ફરી પ્રસારણ શરૂ થતાં જ દર્શકોમાં ફરી થઈ લોકપ્રિય
મહાભારતના કલાકારોની ચર્ચાઓ થવા લાગી
તો એ સમયમાં કલાકારો લેતા હતા આટલી ફીસ
સરપ્રાઈઝિંગ વાત એ છે કે, મહાભારતની તમામ સ્ટારકાસ્ટને એક સરખી ફી આપવામાં આવી હતી. આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે કારણ કે મહાભારતમાં કામ કર્યાં પહેલાં ઘણાં કલાકાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂક્યા હતા. તેમ છતાં મેકર્સે તેમને પણ સેમ પેમેન્ટ આપ્યું હતું.
એક રિપોર્ટ મુજબ, મહાભારતની સ્ટારકાસ્ટની ફી અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં દરેક કલાકારને એક એપિસોડના 3 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. મહાભારતના કુલ 94 એપિસોડ હતા. એવામાં તમને ખ્યાલ આવી શકે છે કે, એ જમાના મુજબ અમાઉન્ટ ઘણું વધારે હતું. બીઆર ચોપડાએ આ એપિક ગાથાને દર્શકો સુધી પહોંચાડવામાં ઘણી જ મહેનત કરી હતી. આ શો 1988માં ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.
આ શોમાં રાજ બબ્બર, મુકેશ ખન્ના, ગજેન્દ્ર ચૌહાણ, પ્રવીણ કુમાર, રૂપા ગાંગુલી, પુનીત ઇસાર, નીતીશ ભારદ્વાજ જેવા સ્ટાર્સ હતા. જોકે, એ વાત પણ સાચી છે કે શોમાં જોવા મળેલા બધાં સ્ટાર્સ આજે પણ મહાભારતના કારણે જાણીતા છે. મહાભારત કરતા પહેલા મુકેશ ખન્નાએ ઘણી ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું, પરંતુ મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકાએ તેને લોકપ્રિય બનાવ્યો હતો. આ શોએ તેને વિશેષ ઓળખ આપી.
હવે લોકડાઉનમાં મહાભારતને ડીડી ભારતી અને ડીડી રેટ્રો પર પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. શોના તમામ સ્ટાર્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વર્ષો પછી આ કલાકારો કેવા દેખાય છે અને શું કરી રહ્યાં છે તે જાણવા માટે દર્શકો બેતાબ છે. જોકે, આ શોમાં બધાં જ કલાકારોને એક સરખી ફીસ મળી હતી, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે અંગે હાલ મેકર્સ અને એક્ટર્સ તરફની કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.