લૉકડાઉન દરમિયાન ટીવી પર રામાયણ અને મહાભારત નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો મહાભારત સીરિયલને એટલી ઝીણવટથી જોઇ રહ્યા છે કે, તેઓને એકાએક એપિસોડના દ્રશ્ય ખબર હોય છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જે પરથી લોકો કહી રહ્યા છે, ભીષ્મપિતામહ કૂલર નો ઉપયોગ કરી રહ્યા છે.
જી હા, આ સીનનો સ્ક્રીનશોટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે પછી લોકો કહેવા લાગ્યા કે ભીષ્મ પિતામહ કૂલરનો ઉપયોગ કરી રહ્યા છે. પણ જોકે હવે તે સીન પાછળનું સત્ય બહાર આવી ગયુ છે જે પછી લોકો અફસોસ કરવા લાગ્યા છે.
સોશ્યલ મીડિયા પર યૂઝર ફોટો શૅર કરીને રહ્યા છે.એક યુઝરે કહ્યું હતું કે ભીષ્મ પિતામહ કૂલર યુઝ કરે છે તો અન્યે કહ્યું હતું કે ભીષ્મ પિતામહે કૂલર યુઝ કરીને સાબિત કર્યું કે ‘મહાભારત’ પોતાના સમય કરતાં કેટલું આગળ હતું.
વાસ્તવમાં મહાભારત સીરિયલના આ સીનમાં ભીષ્મ પિતામહની પાછળ જે દ્રશ્ય જોવા મળી રહ્યુ છે કે, તે કૂલર નહી પણ પિલર એટલે કે થાંભલો છે. આ થાંભલાની ડિઝાઇનની ભૂલથી કૂલર સમજી બેઠા હતા અને સોશ્યલ મીડિયા પર ફોટો વાયરલ થયો હતો. આ કૂલર નહી પરંતુ દરબારમાં થાંભલાની ડિઝાઇન છે.
ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન ‘રામાયણ’ તથા ‘મહાભારત’ બંને શોનું પુનઃપ્રસારણ કરવામાં આવ્યું છે અને આ બંને સીરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ બંને સીરિયલ બાદ હવે રામાનંદ સાગરની અન્ય એક સીરિયલ ‘શ્રીકૃષ્ણા’ પણ શરૂ થશે. જોકે, આ સીરિયલની હજી તારીખ તથા સમયનો ખુલાસો કરવામાં આવ્યો નથી.