મહાભારતમાં દુર્યોધનની ભૂમિકા ભજવનાર પુનીત ઈસારને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તેણે જણાવ્યું કે ચીરહરણના દ્રશ્ય માટે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. હકીકતમાં એક વ્યક્તિએ તેના પર દ્રૌપદીનું ચીરહરણ કરવા સામે એક કેસ દાખલ કર્યો હતો. હાલમાં જ્યારે મહાભારતની સ્ટારકાસ્ટ ટીવી કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' માં આવી ત્યારે તેણે આ માહિતી આપી હતી.
મહાભારતમાં દુર્યોધનની ભૂમિકા ભજવનાર પુનીત ઈસારને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી
તસવીર લેવા માટે એક શખ્સે પુનીત પર કર્યો હતો કેસ
પુનીત ઈસારે જણાવ્યું કે, મુંહઈમાં તે પોતાની ગાડીથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પોલીસની ગાડી આવી અને તેને રોકાવાનો ઈશારો કર્યો. પછી તેને લાગ્યું કે તેણે ટ્રાફિકનો કોઈ નિયમ ભંગ કર્યો છે પરંતુ તે રોકાયો તો તેને ખબર પડી કે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે.
થોડાં સમય પછી ખબર પડી કે, માત્ર તેના પર જ નહીં પરંતુ ગૂફી પેંટલ, નરેન્દ્ર શર્મા, રાહી માસૂમ રજા, બી આર ચોપડા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ બીઆર ચોપડાએ આ મામલે એક વકીલની સલાહ લીધી. પુનીતે જણાવ્યું કે, એ પછી તેને આ મામલે કંઈ કરવું પડ્યું નહીં પરંતુ લગભગ 28 વર્ષ બાદ ફરી આ મામલે સમન્સ જારી થયું.
પુનીત અનુસાર પહેલાં બીઆર ચોપડાના વકીલ પછી રવિ ચોપડાના વકીલે આ કેસ હેન્ડલ કર્યો પછી જ્યારે બીઆર ચોપડા, રવિ ચોપડા, નરેન્દ્ર શર્મા, રાહી માસૂમ રજાએ દુનિયાને અલવિદા કહી દીધું ત્યારે ફરી આ મામલો પુનીત પર આવી ગયો. ત્યારબાદ પુનીત અને ગુફીએ એક વકીલ હાયર કર્યો અને મામલો દૂર કર્યો.
આ અવસર પર પુનીતે ચોંકાવનારી ઘટનાઓ જણાવતા કહ્યું- જ્યારે તે આ કેસના સંદર્ભમાં વારાણસી ગયો ત્યારે જે વ્યક્તિએ તેના વિરૂદ્ધ કેસ કર્યો હતો તે પુનીત સાથે એક તસવીર લેવા માંગતો હતો અને એટલે તેણે કેસ કર્યો હતો. તેને લાગતું હતું કે આ મામલે પુનીત વારાણસી આવશે અને પછી તે તસવીર લઈ શકશે.
આ રીતે અન્ય એક મામલા અંગે વાત કરતા પુનીતે જણાવ્યું કે, એકવાર એક મોટા બિઝનેસમેને મહાભારતની સ્ટારકાસ્ટને રાતે જમવા માટે બોલાવ્યા. ત્યાં ઘરની મહિલાઓ જ બધાંને ભોજન પીરસી રહી હતી, પરંતુ જ્યારે પુનીતને ભોજન પીરસવાનું આવતું તો મહિલા પીરસ્યા વિના જ આગળ વધી જતી હતી. પછી ઘરના રસોઈયાએ તેને ભોજન પીરસ્યું હતું. મહિસાઓ તેનાથી નારાજ હોવાથી આવું કરી રહી હતી.