દૂરદર્શન પર રામાયણ અને મહાભારતે ધૂમ મચાવી દીધી છે. આ સીરિયલમાં કામ કરનારા કલાકારો ફરી ચર્ચામાં આવી ગયા છે. બીઆર ચોપડાની મહાભારતની વાત કરીએ તો સીરિયલમાં અર્જુનનો રોલ ફિરોઝ ખાને નિભાવ્યો હતો. આજે પણ ફિરોઝ ખાન અર્જુનના નામથી ઓળખાય છે.
રામાયણ અને મહાભારતના કલાકારો ફરી ચર્ચામાં
બોલિવૂડના આ અભિનેતા મહાભારતમાં બન્યો હતો અર્જુન
આજે પણ આ કલાકાર અર્જુનના નામે ઓળખાય છે
મહાભારતના ઓડિશનમાં સિલેક્ટ થયા બાદ બોલિવૂડ અભિનેતા ફિરોઝ ખાને પોતાનું નામ અર્જુન રાખી દીધું હતું. મહાભારતની પટકથા અને ડાયલોગ્સ લેખક ડો. રાહી માસૂમ રજાએ ફિરોઝથી કહ્યું હતું કે, તેનું 23 હજાર લોકોમાંથી સિલેક્શન થયું છે. જેથી તારું નામ અર્જુન હોવું જોઈએ અને તુ અર્જુન જેવો લાગે પણ છે. ઈન્ડસ્ટ્રીમાં પણ કોઈ આ નામનો કલાકાર નથી. આ રીતે મહાભારતથી ફિરોઝ ખાન હમેશાં માટે અર્જુન બની ગયો.
અર્જુને મહાભારત સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 1984માં તેણે ફિલ્મ મંઝિલ-મંઝિલખી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. પછી વર્ષ 1988માં તેમને મહાભારતમાં અર્જુનનો રોલ પ્લે કરવાની તક મળી. મહાભારતનું પ્રસારણ દૂરદર્શન પર ઓક્ટોબર 1988થી લઈને જૂન 1990 સુધી થયું હતું.
મહાભારતમાં આ રોલ માટે અર્જુન બીઆર ચોપડાને આભાર વ્યક્ત કરે છે. એક ઈન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું હતું કે, હું આજે પણ અર્જુનના નામથી ઓળખાઉં છું. જે રીતે અમિતાભ બચ્ચન ફિલ્મ જંજીર, અમજદ ખાન ફિલ્મ શોલે, ધર્મેન્દ્ર ફિલ્મ ફૂલ અને પત્થર, વિનોદ ખન્ના ફિલ્મ કચ્ચે ધાગેથી ઓળખાય છે.
અર્જુને ફરીવાર મહાભારત જેવો રોલ કરવાની ના પાડી દીધી હતી. કારણ કે તે વારંવાર એક જ પ્રકારનો રોલ કરવા નહોતો માંગતો. તેણે તેના કરિયરમાં 260થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં જિગર, તિરંગાસ આદમીસ ફુલ ઔર અંગારે, મિસ્ટર આઝાદ, કરણ-અર્જુન, મહેંદી, જોડી નં 1 સહિતની ફિલ્મો સામેલ છે.