ફાલ્ગુન કૃષ્ણપક્ષની ચતુર્દશીના રોજ મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે.
ફાલ્ગુન કૃષ્ણપક્ષની ચતુર્દશીના રોજ છે મહાશિવરાત્રી
ભગવાન શિવની સાથે કરાય છે માતા પાર્વતીની પૂજા
શિવની પૂજા કરવાથી ઘરમાં વાસ્તુ દોષ થાય છે સમાપ્ત
આ વર્ષે મહાશિવરાત્રી 1 માર્ચે મનાવવામાં આવશે. મહાશિવરાત્રીના દિવસે પૂજા કરવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. એવામાં જાણીએ છીએ કે મહાશિવરાત્રીના દિવસે કયા-કયા ઉપાયો કરવાથી વાસ્તુ દોષ દૂર થઇ શકે.
મહાશિવરાત્રીના ઉપાય
મહાશિવરાત્રીના દિવસે શિવનો અભિષેક કર્યા બાદ ચઢાવેલા જળને ઘરે લઇ આવો. ત્યારબાદ ઓમ નમ: શમ્ભવાય ચ મચોભવાય ચ નમ: શંકરાય ચ:' આ મંત્રને બોલીને આખા ઘરમાં આ પવિત્ર ઘરનો છંટકાવ કરો. આવુ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થશે અને ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધી રહેશે.
જો ઘરમાં કલેશ, રોગ અને અન્ય સમસ્યાઓ છે તો તેને દૂર કરવા માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રૂદ્રાભિષેક કરવો શુભ મનાય છે.
જો ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ છે તો તેના નિવારણ માટે ઘરની પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં બિલી પત્ર લગાવો અને તેમાં જળ અર્પણ કરો. આ સાથે મહાશિવરાત્રીના દિવસે સાંજના સમયે તેની નીચે ઘીનો દીવો પ્રગટાવો. આવુ કરવાથી ઘરનો વાસ્તુ દોષ સમાપ્ત થાય છે.