નવરાત્રીનુ આઠમુ નોરતુ 3 ઓક્ટોબરે છે. જાણો આઠમના દિવસે કેવીરીતે કરશો માં મહાગૌરીની પૂજા, ભોગ, યોગ અને આઠમના દિવસનો શુભ રંગ.
આઠમુ નોરતુ 3 ઓક્ટોબરે
આઠમના દિવસે આ રીતે કરો માં મહાગૌરીની પૂજા
દેવી મહાગૌરીના પૂજનથી પાપ કર્મમાંથી મળશે છૂટકારો
મહાગૌરીના પૂજનથી પાપ કર્મમાંથી મળે છે છૂટકારો
હિન્દુ પંચાગ મુજબ નવરાત્રીની આઠમ 3 ઓક્ટોબરે છે. જેને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જગત જનની માં દુર્ગાની આઠમી શક્તિ માં મહાગૌરીની પૂજા થાય છે. દેવી મહાગૌરીના પૂજનથી પાપ કર્મમાંથી છૂટકારો મળે છે. આ વર્ષે મહાઅષ્ટમી પર ખૂબ શુભ યોગ બની રહ્યો છે, જેમાં દેવીની પૂજાનુ ડબલ ફળ મળશે. આવો જાણીએ અષ્ટમી પર કેવીરીતે કરશો માં મહાગૌરીની પૂજા.
માં મહાગૌરીનો મહિમા
વૃષભ પર સવાર માં મહાગૌરીનો રંગ ખૂબ ગોરો છે, જેના કારણે દેવીના આ સ્વરૂપને મહાગૌરી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દેવીએ કઠોર તપ કરી શ્વેત વર્ણ પ્રાપ્ત કર્યો હતો. મહાગૌરી કરૂણામયી, સ્નેહમયી, શાંત તથા મૃદુલ સ્વભાવવાળી છે. ચાર ભુજાઓવાળી દેવી મહાગૌરીએ ત્રિશુળ અને ડમરૂ ધારણ કર્યુ છે. બે ભુજાઓ અભય અને વરદ મુદ્રામાં રહે છે. માંને ધન, ઐશ્વર્ય પ્રદાયિની, શારિરિક માનસિક અને સાંસારિક તાપનુ હરણ કરનારી માનવામાં આવી છે.
મહાઅષ્ટમી પર ઘીનો દીવો પ્રગટાવીને દેવી મહાગૌરીનુ આહ્વાન કરો અને માંને રોલી, મૌલી, અક્ષત, મોગરા, ફૂલ અર્પણ કરો. આ દિવસે દેવીને લાલ ચુંદડીમાં સિક્કા અને પતાશા રાખીને આવશ્ય ચઢાવો. જેનાથી માં મહાગૌરી પ્રસન્ન થાય છે. નારિયેળ અથવા નારિયેળમાંથી બનાવેલી મિઠાઈનો પ્રસાદ ધરાવો. મંત્રોનો જાપ કરો અને અંતમાં માં મહાગૌરીની આરતી કરો. ઘણા લોકો આઠમના દિવસે કન્યા પૂજન અને હવન કરીને વ્રતના પારણા કરે છે. મહા અષ્ટમીના દિવસે દેવી દુર્ગાની પૂજા સંધિ કાળમાં ખૂબ લાભદાયી માનવામાં આવી છે.
માં મહાગૌરી પ્રિય ભોગ ફૂલ
માં મહાગૌરીને નારિયેળનો ભોગ અત્યંત પ્રિય છે. દેવીનુ પ્રિય ફૂલ મોગરા માનવામાં આવે છે. માન્યતા છે આ બે વસ્તુઓ દેવીને અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં મિઠાસ આવે છે.
નવરાત્રીના આઠમા દિવસનો શુભ રંગ
નવરાત્રીના આઠમના દિવસે મહાઅષ્ટમી પર માં મહાગૌરીની પૂજામાં સફેદ અથવા જાંબલી રંગ શુભ માનવામાં આવ્યો છે.