ઈરાનમાં ભૂકંપથી અફરા તફરીનો માહોલ સર્જાયો. ભૂકંપના સ્થાનિકો પોતાના મકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ છે. તો આ ભૂકંપમાં 170 લોકો ઈજાગ્રસ્ત થઈ છે. નાની મોટી ઈજાના પગલે કેટલાકલોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈરાનના કેરમન શાહ પ્રાંતમાં આવેલા સરપોલ-એ-જહાબ વિસ્તારમાં આ ભૂકંપ નોંધાયો છે. તો ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે છેક રાજધાની બગદાદ સુધી આ ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપ બાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઇરાનની ઇરાક સાથેની પશ્ચિમી સરહદ નજીક રવિવારે રાતે ભૂકંપના તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા. જેમાં ઓછામાં ઓછા 170 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇરાનના કટોકટીની સેવાના પ્રમુખે આ અંગેની જાણકારી આપી હતી.
અમેરિકાના ભૂગર્ભીય સર્વેક્ષણ અનુસાર 6.3ની તીવ્રતાવાળો આ ભૂકંપ કેરમનશાહ પ્રાંતના સરપોલ-એ-જહાબ વિસ્તારમાં આવ્યો. તેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે જોવા મળ્યું હતું.
આ ભૂંકપની તીવ્રતા એટલી હદે હતી કે તેની અસર રાજધાન બગદાદ સુધી જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસને છ રાહત ટૂકડીઓને ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં 2017માં આવેલા ભૂકંપમાં 600 લોકોના મોત નિપજ્યાં હતા.