અરુણાચલ પ્રદેશમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી
ઉત્તર -ઉત્તર પશ્ચિમ વિસ્તાર બસરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા
ભૂકંપના 2 આંચકાથી સમસમી ગયુ પૂર્વોત્તર ભારત
ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી
ભૂકંપ અહીંના ઉત્તર -ઉત્તર પશ્ચિમ વિસ્તાર બસરમાં આવ્યો હતો. નેશન સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. હાલમાં કોઈ પ્રકારના જાનમાલને નુક્સાન થવાની સૂચના નથી. આ સંબંધમાં વધારે જાણકારીની રાહ જોવામાં આવી રહી છે.
ભૂકંપના 2 આંચકાથી સમસમી ગયુ પૂર્વોત્તર ભારત
આની પહેલા પૂર્વોત્તર ભારતમાં રવિવાર અને સોમવાર દરમિયાનાની રાતે 12.30 વાગે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 અને 3.8 આંકવામાં આવી હતી. તેમણે આ ભૂકંપથી કોઈ પ્રકારની જાનમાલને નુકસાન થયાના સમાચારથી ઈન્કાર કરી દીધો હતો.
Magnitude 4.9 earthquake occurred at 148 north-northwest of Basar, Arunachal Pradesh at 4:30 am today: National Center for Seismology
એનસીએસના અનુસાર મોડી રાતે 2.11 વાગે ભૂકંપનું કેન્દ્ર આસામના કછાર જિલ્લામાં 35 કિલોમીટર જમીનની નીચે હતુ. 3.8 તીવ્રતા વાળો બીજો આંચકો મોડી રાતે 2.39 વાગે આવ્યો. જેનું કેન્દ્ર મણિપુરના કાંગપોકપી વિસ્તારમાં 20 કિલોમીટરની ઉંડાઈ પર હતુ.
આ વર્ષે મણિપુરના વિભિન્ન ભાગોમાં 3 વાર ભકંપના આંચકા આવી ચૂક્યા છે
એનસીએસ અનુસાર 13 જાન્યુઆરીએ પણ કાંગપોકપીમાં ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ વર્ષે મણિપુરના વિભિન્ન ભાગોમાં 3 વાર ભકંપ આવી ચૂક્યા છે. જેમાં ચાર જાન્યુઆરીએ તામેંગલોંગ અને ચંદેલ વિસ્તારમાં આવેલા ભૂકંપ સામેલ છે. આસામમાં 6 જાન્યુઆરીએ સોનિતપુરમાં 3.2 તીવ્રતાનો વધુ એક ભૂકંપ આવી ચૂક્યો હતો.