જ્યોતિષ શાસ્ત્રના જાણકાર કહે છે કે ઘરમાં રૂપિયા-પૈસાની મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માટે તમને ઘોડાની નાળનો પ્રયોગ ખૂબ લાભદાયી નિવડે છે. ઘોડાની નાળ સાથે જોડાયેલા ઉપાય તમને આર્થિક તંગીમાંથી બચાવી શકે છે.
ઘરમાં રૂપિયા-પૈસાની મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય
ઘણી વખત લોકોને ફરિયાદ હોય છે કે મહેનત કર્યા બાદ પણ તેમનુ બેંક-બેલેન્સ ખાલી રહે છે. માથા પર દેવાનો બોજ વધતો રહે છે. ઘરની બહાર દેવાદારોની લાઇન રહે છે. આ મુશ્કેલીઓને પગલે માણસ ઘરમાં ઝગડા અને તણાવનો માહોલ બની જાય છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકાર કહે છે કે ઘરમાં રૂપિયા-પૈસાની મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માટે ઘોડાની નાળનો પ્રયોગ ખૂબ લાભદાયી હોય છે. જેને માત્ર ઘરમાં રાખવાથી તમારી આર્થિક તંગી દૂર થઇ શકે છે. ઘોડાની નાળ સાથે જોડાયેલા કેટલાંક ખાસ ઉપાય તમને આર્થિક તંગીમાંથી બચાવી શકે છે.
દરવાજા પર લટકાવો કાળા ઘોડાની નાળ
એવુ કહેવાય છે કે જો કાળા ઘોડાની નાળ દરવાજા પર લટકાવી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સમાપ્ત થવાથી સુખ-સંપન્નતા રહે છે અને પૈસાની પરેશાની થતી નથી.
ઘોડાની નાળમાંથી બનાવેલી વીંટી
જો તમારે નોકરી-વ્યાપારમાં પરેશાની ચાલી રહી છે તો તમારી પોતાની આંગળીમાં ઘોડાની નાળમાંથી બનાવેલી વીંટી અથવા અંગૂઠી ધારણ કરી લો. તમારા વ્યવસાયિક જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે.
તિજોરીમાં રાખો ઘોડાની નાળ
જો તમારી તિજોરી હંમેશા ખાલી રહે છે. તમે ઈચ્છીને પણ તેમાં પૈસા જમા કરાવી શકતા નથી તો તિજોરીમાં કાળા ઘોડીની નાળ રાખી દો. તમને ટૂંક સમયમાં ચમત્કારિક પરિણામ જોવા મળશે.