કારેલાં સ્વાદમાં ભલે કડવા હોય પણ તે સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે લાભકારી છે. મોટાભાગના લોકોને કારેલાં ખાવા પસંદ નથી હોતા, પરંતુ શું તમે જાણો છો કે કારેલાં ખાવાથી કેવા ગજબના ફાયદાઓ મળે છે. આજે અમ તમને જણાવીશું, કે કઈ રીતે ગુણકારી કારેલાં નેચરલી તમારી સ્કિનના ડાઘ દૂર કરશે અને તેના ફાયદાઓ પણ જણાવીશું.
સારી સ્કિન માટે કારેલાંને ડાયટમાં કરો સામેલ
કારેલાના ફેસપેકથી સ્કિનમાં આવશે ગજબનો નિખાર
કારેલાંનું જ્યૂસ લોહી શુદ્ધ કરી સ્કિનની પ્રોબ્લેમ કરશે દૂર
જો નાની ઉંમરમાં જ તમારા ચહેરા પર કરચલીઓ થવા લાગી છે તો તમારે આજથી જ કારેલાંને ડાયટમાં સામેલ કરવા જોઈએ. હકીકતમાં કારેલામાં રહેલું વિટામિન સી સ્કિનને મોટી ઉંમર સુધી યુવાન રાખવામાં મદદ કરે છે.
કારેલામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે બોડીમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરે છે અને લોહીને પણ શુદ્ધ કરે છે. તેનાથી સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે.
સ્કિનને બેદાગ બનાવવા માટે 2 ચમચી કારેલાના જ્યૂસમાં 2 ચમચી નારંગીનો જ્યૂસ મિક્સ કરી લો. પછી આ મિશ્રણને ચહેરા પર લગાવો. 15 મિનિટ રાખી પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાય રોજ કરો. ધીરે-ધીરે ખીલને કારણે ચહેરા પર પડેલાં ડાઘ-ધબ્બા આછા થવા લાગશે.
જો તમારા ચહેરા પર દાણા, ખીલ કે લાલ ચકામા જેવું થઈ જતું હોય તો કારેલાંના જ્યૂસનું સેવન કરો. તમે તેમાં દૂધીનું, ગાજરનું જ્યૂસ પણ મિક્સ કરીને પી શકો છો. આ જ્યૂસ સ્કિન માટે વરદાન છે. તેમાં એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટી હોય છે. જે સ્કિનની આ બધી સમસ્યાઓને દૂર કરે છે.
આજકાલ બજારમાં પણ કારેલાંના રેડી ટૂ યુઝ ફેસપેક પણ મળી રહે છે. તમે આવા ફેસપેકનો પણ ઉપયોગ કરી શકો છો. તે પણ તમારી સ્કિનમાં નિખાર લાગશે અને ડાઘ દૂર કરશે. પણ હાં તમે જે કોઈ ફેસપેક યુઝ કરો તે સારો અને નેચરલ હોવો જોઈએ. સપ્તાહમાં બેવાર કારેલાંના ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.