એક બાજુ ગુજરાત સરકાર ખેડૂતોની હિતેચ્છુ હોવાનો દેખાડો કરતી હોય છે અને બીજી બાજુ ભેજવાળી મગફળીને અમુક રકમ લઈને વેચવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ખેડૂતો માટે સરકારના આ બેવડા વર્તનનો વિવાદ થઈ રહ્યો છે. આ કોભાંડ સામે આવતા સરકારની તો જાણે ખેડૂતો સાથેની રમતમાં માટલી ફૂટી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો હતો. ખુદ સીએમના ગામ રાજકોટમાં જ મગફળીનું કૌભાંડ બહાર આવતાં સરકાર માથે માછલા ધોવાઈ રહ્યા છે.
રૂરલ પોલીસે વચેટિયાની કરી ધરપકડ
વચેટિયો અમિત પટેલની કરી ધરપકડ
અમિત ખેડૂતો પાસેથી 2500 રૂપિયા ઉઘરાવતો હતો
શું છે મગફળી કૌભાંડ
રાજકોટમાં મગફળી કૌભાંડના મામલે રૂરલ પોલીસે વચેટિયાની ધરપકડ કરી છે. વચેટિયા અમિત પટેલની ધરપકડ કરવામાં આવી છે. અમિત ખેડૂતો પાસેથી 2500 રૂપિયા ઉઘરાવતો હતો. જૂના યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે. ભેજવાળી મગફળીના સેમ્પલ ફેલ કરતા હતાં. અધિકારીઓના વચેટિયા 2500માં સેટિંગ કરતા હતાં. સમગ્ર સ્ટિંગ ઓપરેશન બહાર આવતા ભાંડો ફૂટ્યો છે.
ગત વર્ષે પણ મગફળી કૌભાંડ પર સરકારે પડદો પાડ્યો હતો: અમિત ચાવડા
ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યુ છે કે, ભાજપ પોતાના મળતિયાઓને આર્થિક લાભ કરાવે છે.. મગફળીની ખરીદીમાં બારદાનનું પણ કૌભાંડ સામે આવ્યુ છે. સરકારના છુપા આશીર્વાદથી ખેડૂતોને લૂંટવાનો ષડયંત્ર થઈ રહ્યો છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, વચેટિયાઓની કટકી માટે ખેડૂતોને લૂંટવામાં આવે છે. આ જ રીતે ગત વર્ષે પણ મગફળી કૌભાંડ પર સરકારે પડદો પાડ્યો હતો. ચાર હજાર કરોડના મગફળીના કૌભાંડને લઈને તપાસની કોંગ્રેસે માગ કરી છે
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાનું નિવેદન
મગફળીની ખરીદીમાં ગેરરીતી મામલે પાલઆંબલીયાએ નિવેદન કર્યુ છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ નિવેદન કર્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે આ અભણ ખેડૂતોને લૂંટવાનો નવો નુસખો છે. પહેલા મગફળી રિજેક્ટ કરી રૂપિયા આપો એટલે સેમ્પલ પાસ થતા હતાં. વજન કાંટા, બારદાન બાદ હવે સેમ્પલમાં પણ વચેટિયા આવી ગયા છે.