મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે કહ્યું કે, સરકારી કર્મચારીઓને કાર્યાલયના સમય દરમિયાન પર્સનલ ઉપયોગ માટે મોબાઈલ ફોનના ઉપયોગની મંજૂરી આપવી જોઈએ નહીં.
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો
કામના સ્થળ પર ફોનનો ઉપયોગ કરી શકાય નહીં
સરકાર કડક નિયમ બનાવી એક્શન લે
મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે કહ્યું કે, સરકારી કર્મચારીઓને કાર્યાલયના સમય દરમિયાન પર્સનલ ઉપયોગ માટે મોબાઈલ ફોનના ઉપયોગની મંજૂરી આપવી જોઈએ નહીં. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એમએમ સુબ્રમણ્યમે તમિલનાડૂ સરકારને આ સંબંધમાં નિયમ બનાવાનું પણ કહ્યું છે. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડૂ સરકારને કહ્યું કે, તે રાજ્યમાં તમામ સરકારી કાર્યાલયો અને કર્મચારીઓના સમય દરમિયાન પર્સનલ ઉપયોગ માટે મોબાઈલ ફોનના ઉપયોગની મંજૂરી ન આપે અને તેને ળઈને એક નવો નિયમ બનાવાનો આદેશ પસાર કર્યો છે. મદ્રાસ હાઈકોર્ટે એવું પણ કહ્યું કે, જે આ નિયમોનું પાલન નહીં થાય તો, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવશે.
Madras HC says government servants should not be allowed to use mobile phones for personal use during office hours.
Madras HC Justice SM Subramaniam directed Tamil Nadu Government to frame regulations in this regard and take action against those who do not follow the rules. pic.twitter.com/b2CtEvWx9J
સ્વાસ્થ્ય વિભાગની એક કર્મચારી કામના સ્થળ પર મોબાઈલ ઉપયોગ કરવાથી સસ્પેનશનની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી કરતા જસ્ટિસ સુબ્રમણ્યમે આ આદેશ આપ્યો હતો. જસ્ટિસ સુબ્રમણ્યમે કહ્યું કે, સરકારી કર્મચારીઓ દ્વારા કામ દરમિયાન ફોન પર પર્સનલ ઉપયોગ કરવો એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે. જે ખોટું છે. કોર્ટે સરકારને નિર્દેશ આપતા કહ્યું કે, તે આ સંબંધમાં નિયમ બનાવે અને ખોટૂ કરનારા કર્મચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે.
મહિલાઓને રાહત આપવાની ના પાડી દીધી
પોતાના નિલંબનની વિરુદ્ધ અરજી દાખલ કરનારી મહિલાને પણ કોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી છે. રાધિકા ત્રિચી હેલ્થ જોનલમનાં વર્ક સુપરવાઈઝરના પદ પર કાર્યરત હતી, અને તે કાર્યસ્થળ પર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી હતી, જેના કારણે સંબંધિત વિભાગે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.
આપને જણાવી દઈએ કે, ફોનનો ઉપયોગ પર રોકના આ કંઈ પ્રથમ મામલો નથી. આ અગાઉ યુપી સરકારે કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. યોગી સરકારે જૂન 2019માં એક આદેશ જાહેર કર્યો હતો કે, બેઠકમાં ફોન લાવવાથી કામમા અડચણો ઉભી થાય છે, કારણ કે, ફોનની રીંગ વાગે છે, મેસેજ આવે છે, જેનાથી સમય ખરાબ થાય છે.