મદ્રાસ હાઈકોર્ટે મંદિરોને લઈને તમિલનાડુ સરકારને આદેશ આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે મંદિરોમાં ભક્તોના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવો જોઈએ.
તમિલનાડુ સરકારને મદ્રાસ હાઈકોર્ટેના આદેશ
મંદિર પરિસરમાં મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ
મંદિર અંદર સુધ્ધતા અને પવિત્રતા જાળવવા કહ્યું
મદ્રાસ હાઈકોર્ટે મંદિરોને લઈને તમિલનાડુ સરકારને આદેશ આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે મંદિરોમાં ભક્તોના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવો જોઈએ. કોર્ટે શુક્રવારે આ ચુકાદો આપ્યો જેથી મંદિરોની અંદર સુધ્ધતા અને પવિત્રતા જાળવી શકાય. પ્રશાસનને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવાની કડક સૂચના આપવામાં આવી છે અને શક્ય તેટલી વહેલી તકે આદેશોનું પાલન કરવામાં આવે.
મંદિરમાં મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ
આ અંગે તમિલનાડુના સંબંધિત વિભાગોને આદેશ જારી કરવામાં આવ્યા છે. રાજ્યના તમામ મંદિરોમાં મોબાઈલ સંબંધિત નિયમો લાગુ કરવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે સ્વીકાર્યું કે તિરુચેન્દુર મંદિર પ્રશાસને પહેલાથી જ મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા માટે ઘણા પગલાં લીધાં છે. મંદિર પ્રશાસને એવી પણ અપીલ કરી છે કે ભક્તો તિરુચેન્દુર મંદિરમાં યોગ્ય વસ્ત્રો પહેરીને આવે.
તિરુચેન્દુર મંદિરમાં લાગુ છે નિયમ
ખરેખર, તિરુચેન્દુર મંદિર પ્રશાસને 14 નવેમ્બરથી નિયમ લાગુ કર્યો છે કે મંદિરમાં કામ કરતા ભક્તો અને લોકો મોબાઈલ ફોન મંદિરની અંદર લઈ જઈ શકતા નથી. મોબાઈલ જમા કરાવવા માટે ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. જો કોઈની પાસે મોબાઈલ મળી આવશે તો તેને જપ્ત કરી લેવામાં આવશે અને મોબાઈલ પરત કરવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે.
આપેલા આદેશોનું વહેલી તકે પાલન થાય
હવે મદ્રાસ હાઈકોર્ટે સમગ્ર તમિલનાડુમાં આ નિયમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. સંબંધિત વિભાગને આપવામાં આવેલા આદેશમાં હાઈકોર્ટે કહ્યું છે કે આ આદેશનું વહેલી તકે પાલન કરવામાં આવે. આ નિયમો તમિલનાડુ રાજ્યના તમામ મંદિરોમાં લાગુ થશે.