મદ્રાસ હાઇકોર્ટની મુખ્ય ન્યાયાધીશ વિજયા કે. તાહિલરમાનીએ સુપ્રીમ કોર્ટ કોલેજિયમના મેઘાલય હાઇકોર્ટ ટ્રાન્સફર કરવાના આદેશ પર પુનવિચાર કરવાના એમના અનુરોધ ફગાવાયા બાદ રાજીનામુ આપી દીધુ.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે તાહિલરમાનીએ શુક્રવારે રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામુ આપ્યું અને ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને તેની એક કોપી પણ આપી છે. જસ્ટિસ ગોગોઇના નેતૃત્વ વાળા કોલેજિયમે તાહિલરમાનીને મેઘાલય હાઇ કોર્ટ ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી.
એમને ગત વર્ષે 8 ઓગસ્ટે જ મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવાયા હતા. કોલેજિયમે 28 ઓગસ્ટે એમને ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી, જેના પર એમણે પૂનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો હતો. એમણે કોલેજિયમના નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો.
28 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી કોલેજિયમ, જેમા જસ્ટિસ એસએ બોબડે, એનવી રમના, અરુણ મિશ્રા અને આરએફ નરીમન પણ સામેલ હતા. મેઘાલયના હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એકે મિત્તલનો મદ્રાસ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કર્યું હતું. તેની સાથે જ જસ્ટિસ તાહિલરમાનીનું ટ્રાન્સફર મેઘાલય હાઇકોર્ટ કરી દેવાયું હતું.