MPની રાજધાની ભોપાલ અને વિદિશાની વચ્ચે રાયસેન જિલ્લાના સલામતપુરની ટેકરી પર દેશનું સૌથી મોટું વીવીઆઈપી વૃક્ષ આવેલું છે.
આ છે દેશનું સૌથી VVIP વૃક્ષ
તેની સુરક્ષામાં 24 કલાક પોલીસ રોકાયેલી રહે છે
દર 15 દિવસે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે
શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દ્વા રાજપક્ષેએ આ બૌદ્ધિ વૃક્ષ વાવ્યું હતું.
21મી સપ્ટેમ્બર 2021ના રોજ શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દ્વા રાજપક્ષેએ અહીં પ્રસ્તાવિત બૌદ્ધ યિનિવર્સિટીના ભૂમિ પૂજન સમારોહમાં આ બૌદ્ધિ વૃક્ષ વાવ્યું હતું. જો તેનું પાન પણ પડી જાય તો તેનો પણ રિપોર્ટ ભોપાલમાં ઉચ્ચ સ્તરે કરવામાં આવે છે ખાસ વાત એ છે કે આ વૃક્ષનું મેડિકલ ચેકઅપ પણ વીઆઈપી વ્યક્તિની જેમ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેને પીપળનું વૃક્ષ માને છે, પરંતુ તેની મજબૂત સુરક્ષા જોઈને તેમના મનમાં ચોક્કસપણે પ્રશ્ન ઉદ્ભવે છે. કે આ વૃક્ષ આટલું ખાસ કેમ છે.
એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધે બોધગયામાં આ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું
15 ફૂટ ઉંચી જાળીઓથી ઘેરાયેલા અને નજીકમાં ઉભેલા પોલીસ કર્માચારીઓને જોતા આ વૃક્ષ VVIP જેવું લાગે છે. આ વૃક્ષ પણ ખાસ છે કારણ કે તે બોધી વૃક્ષ છે. બૌદ્ધ ઘર્મગુરુઓ માને છે કે ભગવાન બુદ્ધે બોધગયામાં આ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે જ સમયે, ભારતમાંથી સમ્રાટ અશોક પણ આ વૃક્ષની શાખા શ્રીલંકા લઈ ગયા. આ વૃક્ષની તંદુરસ્તીનું પણ કોઈપણ માનવીની જેમ ધ્યાન રાખવામાં આવે છે.
વૃક્ષનું એક પાન પણ તૂટી જાય તો તેનો રિપોર્ટ કરવામાં આવે છે
15 દિવસમાં એકવાર, સરકાર તપાસ કરે છે. ત્યારબાદ જરૂરી ખાતર અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સરકાર એ સુનિશ્ચિત કરવાનો પણ પ્રયાસ કરે છે કે, વૃક્ષનું એક પણ પાન તૂટે નહીં.એટલા માટે 24 કલાક સુરક્ષા કરવામાં આવે છે.આ વૃક્ષને ચારેબાજુ વાડ લગાવીને સુરક્ષિત કરવામાં આવ્યું છે. જો એક પાન પણ તૂટી જાય તો તેનો રિપોર્ટ ભોપાલમાં સરકારના ઉચ્ચ સ્તરે કરવામાં આવે છે. જો તેનું એક પણ પાન સુકાઈ જાય તો વહીવટમાં હલચલ મચી જાય છે. સરકારે આ વૃક્ષ માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. બાગાયત વિભાગ, મહેસૂલ, પોલીસ અને સાંચી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ તમામ વિભાગો આ બોધી વૃક્ષની સંભાળ રાખવા હંમેશા તૈયાર છે.